બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Priyakant
Last Updated: 01:04 PM, 15 April 2023
દેશમાં લોકસભાની ચૂંટણી પહેલા હવે રાજકીય પક્ષો અત્યારથી જ એક્ટિવ થઈ ગયા છે. આ દરમિયાન હવે તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે શુક્રવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 2024ની લોકસભા ચૂંટણી બાદ તેમની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) કેન્દ્રમાં સરકાર બનાવશે.
શું કહ્યું તેલંગાણાના મુખ્યમંત્રીએ ?
'KCR' તરીકે જાણીતા રાવે કહ્યું હતું કે,જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો દેશભરમાં દલિત બંધુ યોજના લાગુ કરવામાં આવશે. વર્ષ 2021માં શરૂ કરવામાં આવેલી 'દલિત બંધુ યોજના'માં અનુસૂચિત જાતિના પરિવારોને વ્યવસાય શરૂ કરવા માટે 100 ટકા ગ્રાન્ટ તરીકે 10 લાખ રૂપિયા આપવામાં આવે છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ હેઠળ આપવામાં આવેલી ગ્રાન્ટને ચૂકવવાની જરૂર નથી.
આંબેડકરની 125 ફૂટ ઉંચી પ્રતિમાનું કર્યું અનાવરણ
તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરે બી.આર. આંબેડકરની 125 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યા પછી એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે, BRSને મહારાષ્ટ્રમાં જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે અને પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશમાંથી સમાન પ્રતિસાદની અપેક્ષા છે. રાવે જાહેર સભામાં કહ્યું, 'હું તમને કેટલીક વાતો કહેવા માંગુ છું. 2024ની લોકસભા ચૂંટણીમાં આગામી સરકાર અમારી, અમારી અને અમારી જ બનશે. આપણા કેટલાક દુશ્મનો તેને પચાવી શકતા નથી. પરંતુ પ્રકાશ માટે એક સ્પાર્ક પર્યાપ્ત છે.
70 વર્ષ પછી પણ દલિતો દેશમાં સૌથી ગરીબ
મુખ્યમંત્રી કેસીઆરે કહ્યું કે, બંધારણના અમલના 70 વર્ષ પછી પણ દલિતો દેશમાં સૌથી ગરીબ છે, જે શરમજનક છે. દેશમાં પરિવર્તનની હિમાયત કરતા કેસીઆરે કહ્યું કે, રાજકીય પક્ષો ભલે જીતે કે હારે, પરંતુ દેશની જનતાએ જીતવાનું ચાલુ રાખવું જોઈએ. ચંદ્રશેખર રાવે જણાવ્યું હતું કે, તેમની સરકારે દલિતોના વિકાસ માટે છેલ્લા 10 વર્ષમાં (આ વર્ષના બજેટ સહિત) 1.25 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા, જ્યારે અગાઉની સરકારે આ જ સમયગાળામાં 16,000 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. તેલંગાણાના મુખ્યમંત્રીએ કહ્યું કે, અનુસૂચિત જાતિ માટેની કલ્યાણ યોજના ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 1.25 લાખ પરિવારો સુધી લંબાવવામાં આવશે.
દલિત પરિવારોને દલિત બંધુ યોજનાનો લાભ મળશે
તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરએ કહ્યું કે, જો કેન્દ્રમાં અમારી સરકાર બનશે તો દર વર્ષે દેશભરના 25 લાખ દલિત પરિવારોને દલિત બંધુ યોજનાનો લાભ આપવામાં આવશે. આંબેડકર વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ભારતના પ્રથમ કાયદા પ્રધાન આજના રાજકારણમાં પણ પ્રાસંગિક છે અને સમાજમાં સમાનતાનું તેમનું સ્વપ્ન સાકાર થાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી દરેકની છે. રાવે કહ્યું કે, દરેક વ્યક્તિએ આંબેડકર દ્વારા આપવામાં આવેલ ઉપદેશોને અમલમાં મૂકવાનો પ્રયાસ કરવો જોઈએ. મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે, બીઆરએસ સરકાર આંબેડકરના નામ પરના એવોર્ડ માટે 51 કરોડ રૂપિયાનું ફંડ બનાવશે જે સેવા ક્ષેત્રે લોકોને આપવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો