બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Now enjoy traveling abroad, no worries about taxes: An announcement was made in the budget

તમારા કામનું / હવે વિદેશ ફરવાની મજા માણો, નહીં રહે ટેક્સની કોઈ ચિંતા: બજેટમાં કરાયું એલાન, જાણો ડિટેલ્સ

Priykant Shrimali

Last Updated: 09:07 AM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Budget 2024 Latest News: કોઈએ રૂ. 7 લાખ સુધીનું ટૂર પેકેજ ખરીદ્યું હોય, તેથી તેના માટે 5% ના દરે TCS તરીકે 35,000 રૂપિયા ચૂકવવાનું ફરજિયાત હતું, પણ હવે.....

  • વિદેશ પ્રવાસે જનારાઓ માટે બજેટમાં સારા સમાચાર
  • વિદેશમાં રજાઓ પર જતા ભારતીયો જાણી લેજો 
  • 7 લાખ સુધીના ખર્ચ પર સ્ત્રોત પર ટેક્સ કલેક્શન ચૂકવવું પડશે નહીં

Budget 2024 : વિદેશ પ્રવાસે જનારાઓ માટે બજેટમાં સારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, વિદેશમાં રજાઓ પર જતા ભારતીયોએ હવે TCS એટલે કે LRS (લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ) હેઠળ રૂ. 7 લાખ સુધીના ખર્ચ પર સ્ત્રોત પર ટેક્સ કલેક્શન ચૂકવવું પડશે નહીં. આ પ્રસ્તાવ ફાઇનાન્સ બિલમાં આપવામાં આવ્યો છે. ચાલો સમજીએ કે આ પરિવર્તન કેવી રીતે ફાયદાકારક રહેશે.

ગયા વર્ષે TCSને લઈને LRSના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. જે મુજબ નાણાકીય વર્ષમાં 7 લાખ રૂપિયાથી વધુના રેમિટન્સ પર ફરજિયાત 20% TCS લાદવામાં આવ્યો હતો. જેનો અમલ 1 ઓક્ટોબર 2023થી થવાનો હતો. જેમાં તબીબી સારવાર અને શિક્ષણ માટે ખર્ચવામાં આવેલી રકમ પર થોડી રાહત આપવામાં આવી હતી. આમાં જો રકમ 7 લાખ રૂપિયાથી વધુ હોય તો જ 5% TCS ચૂકવવો પડશે. વિદેશી ટૂર પેકેજો સિવાય રૂ. 7 લાખથી ઓછા રેમિટન્સ પર TCS ચાર્જ લાગતો ન હતો.

કેવી રીતે ફાયદાકારક રહેશે?
1 ઓક્ટોબર, 2023થી રૂ. 7 લાખથી ઓછી કિંમતના વિદેશી ટૂર પેકેજો પર 5% TCS લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જો તે આ મર્યાદા કરતાં વધી જાય એટલે કે રૂ. 7 લાખથી વધુ તો 20%. TCS માટેની જોગવાઈ કરવામાં આવી હતી. આનો અર્થ એ થયો કે 5% TCS જે અત્યાર સુધી રૂ. 7 લાખ સુધીના વિદેશી ટૂર પેકેજ પર વસૂલવામાં આવતું હતું તે હવે ચૂકવવું પડશે નહીં. મતલબ કે, જો કોઈએ રૂ. 7 લાખ સુધીનું ટૂર પેકેજ ખરીદ્યું હોય, તેથી તેના માટે 5% ના દરે TCS તરીકે 35,000 રૂપિયા ચૂકવવાનું ફરજિયાત હતું, હવે આ નવા પ્રસ્તાવથી આ 35,000 રૂપિયા બચશે.

વધુ વાંચો: આ 8 કેસમાં નથી મળતા ટર્મ પ્લાનના પૈસા: ઈન્સ્યોરન્સ પહેલા આ જાણકારી રાખવી જરૂરી

રિફંડ અંગે સ્પષ્ટતા આવવાની બાકી 
ટેક્સ ફર્મ EY એ એક ખાનગી મીડીયાને જણાવ્યું હતું કે, તેને પૂર્વવર્તી સુધારા કરીને 1 ઓક્ટોબર, 2023થી લાગુ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે 1 જુલાઈ, 2023 અને 30 સપ્ટેમ્બર, 2023 દરમિયાન 5% ટેક્સ લાગુ થશે. 1 ઓક્ટોબર, 2023 પછી વસૂલવામાં આવેલા ટેક્સના રિફંડ અંગે સ્પષ્ટતા આવવાની બાકી છે પરંતુ તે મહેસૂલ સત્તાવાળાઓને જમા કરાવવામાં આવી નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Budget 2024 LRS TCS ટૂર પેકેજ ટેક્સ Budget 2024
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ