આગામી 6 જુલાઇએ અષાઢી બીજના રોજ નીકળનારી રથયાત્રાને લઇને શહેર પોલીસે તૈયારી શરૂ કરી દીધી છે. એક તરફ ઇદ અને રથયાત્રાનો માહોલ હોવાથી પોલીસે પણ એકશન પ્લાન ઘડી દીધો છે. તો કોઇ અનિચ્છીનીય ઘટના ન બને તે માટે પોલીસે બંદોબસ્તની ખાસ તૈયારી કરી છે જોઇએ શુ છે આ ખાસ તૈયારીઓ....
આ વર્ષે એક તરફ રથયાત્રા તો બીજી તરફ ઇદનો સંયોગ રચાયો છે. ત્યારે રથયાત્રા દરમ્યાન કોઇ કોમી છમકલાં ન થાય તે માટે શહેર પોલીસ ક્રાઇમબ્રાંચ એટીએસ જેવી સુરક્ષા એજન્સીઓ તૈયાર થઇ ગઇ છે. ઉપરાંત બહારથી પણ વધુ પોલીસ ફોર્સ મંગાવવામાં આવી છે. રથયાત્રા દરમિયાન નાગાલેન્ડ અને આસામ ફોર્સ કંપની પણ તૈનાત રખાશે વધુમાં 139મી રથયાત્રામાં લોખંડી સુરક્ષા જોવા મળશે જેના પર નજર કરીએ તો...
રથયાત્રાના રખેવાળ
6 આઇજી-ડીઆઇજી
2 એસ.પી 70 એસીપી
200 PI 400 PSI 10 હજાર પોલીસ
43 ફોર્સ કંપની
RAF નાગાલેન્ડ કંપની આસામની કંપની એસઆરપી આરપીએફ
પોલીસના કુલ 300 વાહનો
2 પ્રહરી વાન કેમેરાવાળા વાહનો
5 નેત્ર 10 ડોગ સ્કવૉડ 50 ઘોડેસવાર
3 બીડીએસ કુલ 300 CCTV જેમાં 50 નવા કેમેરા
3 કંટ્રોલરૂમ કમિશનર કચેરી તંબુ ચોકી સરસપુર
આ સિવાય પણ રથયાત્રા પહેલા સંવેદનશીલ વિસ્તારોમાં પેરામિલેટરી ફોર્સનું ફુટ પેટ્રોલિંગ શરુ કરી દેવાયું છે અને શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠકનું આયોજન કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. વધુમાં વધતા જતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને વ્યસ્ત રૂટ પર ટ્રાફીક પોલીસ હોમગાર્ડના જવાનો સહીત ફાયરની ટીમ પાસે પણ રૂટ પરના બંદોબસ્તનો ચાર્ટ મંગાવ્યો છે. આમ આગામી 6 જુલાઇએ અભેદ્ય સુરક્ષા વચ્ચે રથયાત્રા નીકળશે.