બ્રેકિંગ ન્યુઝ
આરબીઆઇએ રિયલ ટાઇમ ગ્રૉસ સેટલમેન્ટ (RTGS) સિસ્ટમનો સમય વધારી દેવામાં આવ્યો છે. હવે ગ્રાહકો માટે સવારનાં આઠ વાગ્યાને બદલે સાત વાગ્યાથી RTGS શરૂ થશે. આ નવી સુવિધા 26 ઓગસ્ટ 2019થી શરૂ થઇ ગઇ છે. આ પહેલાં ગ્રાહકો માટે આરટીજીએસ સિસ્ટમનો સમય સવારનાં આઠ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી હતો.
ADVERTISEMENT

શું હોય છે RTGS?
RTGSનો અર્થ એ છે કે રિયલ ટાઇમ ગ્રૉસ સેટલમેન્ટ સિસ્ટમ. 'રિયલ ટાઇમ'નો અર્થ છે તુરંત. અર્થ જેવો જ આપ પૈસા ટ્રાન્સફર કરે, થોડાંક જ સમયમાં તે ખાતામાં પહોંચી જાય. આરટીજીએસ બે લાખ રૂપિયાથી વધારે રૂપિયા ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
ADVERTISEMENT
આરટીજીએસને આધારે જ્યારે આપ લેણદેણ કરે છે તો બીજા ખાતામાં તુરંત પૈસા ટ્રાન્સફર (Online transactions) થઇ જાય છે. બીજા અને ચોથા શનિવારનાં, જ્યારે બેંકની છુટ્ટી હોય છે. ત્યારે આ સુવિધા પણ બંધ રહે છે. આ સાથે જ રવિવારનાં પણ આ સર્વિસ બંધ રહે છે.

ADVERTISEMENT
નિઃશુલ્ક કરવામાં આવ્યો હતો RTGS લેણદેણ
છ જૂનનાં રોજ થયેલી આરબીઆઇની મૌદ્રિક નીતિ સમિતિ (MPC)ની સમીક્ષા બેઠકમાં આરબીઆઇએ આમ જનતાને મોટી ગિફ્ટ આપતા રિયલ ટાઇમ ગ્રૉસ સેટલમેન્ટ અને નેશનલ ઇલેક્ટ્રિક ફંડ ટ્રાન્સફર (એનઇએફટી)ને આધારે થનારું લેણદેણ નિઃશુલ્ક કરી દેવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.