બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / navratri 2020 sheri garba dycm nitin patel statment gujarat
ADVERTISEMENT
નાયબ મુખ્યમંત્રીના નિવેદન બાદ ખેલૈયાઓ ગરબાને લઇને આશા જાગી છે. અનલોક 5માં 100 લોકોને ધાર્મિક પ્રસંગો માટે છુટછાટ આપવામાં આવી છે અને 200 લોકોની છૂટ સાથે ગરબા યોજવાની બાબત વિચાર ધીન છે હોવાનું નીતિન પટેલે જણાવ્યું હતુ. સરકારની નવી ગાઈડલાઈ પ્રમાણે 200 લોકો સાથે ગરબા યોજવાની શક્યાતો છે. ત્યારે સોમવારે ફરી DyCM નીતિન પટેલે રાજ્યમાં ગરબાના આયોજન મુદ્દે નિવેદન આપ્યું છે.
DyCMએ જણાવ્યું છે કે, ગરબા યોજવાનો મુદ્દો સરકારમાં હજુ પણ વિચારણા હેઠળ છે. SOP આવ્યા બાદ ગરબાનો નિર્ણય લઈ શકાય છે. ભારત સરકાર તરફથી SOP અપાયુ નથી. ભારત સરકારની ગાઈડલાઈન મુજબ કાર્યક્રમ કરી શકાશે. હાલ 200 વ્યક્તિ સુધીનો કાર્યક્રમ કરી શકાય છે. મેદાન આધારે ગરબાની મંજૂરીની વિચારણા ચાલી રહી છે.
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારની અનલોક 5ની ગાઈડલાઈનમાં 15 ઓક્ટોબર બાદ કન્ટેન્મેન્ટ ઝોન બહાર સામાજિક, શૈક્ષણિક, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય મેળાવડા તથા સભાઓમાં 100થી વધુ વ્યક્તિની હાજરી અંગે જે-તે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ નિર્ણય લઈ શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.