બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:11 AM, 20 November 2025
MLA Passes Away : ઉત્તર પ્રદેશની રાજનીતિને આજે એક મોટો ઝટકો લાગ્યો. મઉ જિલ્લાના ઘોસી વિધાનસભા બેઠકના સમાજવાદી પાર્ટીના તીખા અને નિડર અવાજ તરીકે ઓળખાતા સુધાકર સિંહનું લખનૌની મેદાંતા હોસ્પિટલમાં આજે સવારે નિધન થયું. છેલ્લા ઘણા સમયથી લીવર અને કિડની સંબંધિત ગંભીર બીમારીઓથી પીડાતા સુધાકર સિંહ માત્ર 58 વર્ષના હતા. તેમના અવસાનથી સપા પરિવાર જ નહિ પૂર્વાંચલની રાજનીતિ પણ શોકમાં ડૂબી ગઈ છે.
ADVERTISEMENT
જાહેર જીવન સાથે અતૂટ જોડાણ
સુધાકર સિંહ કોઈ સામાન્ય રાજકારણી નહોતા તેઓ લોકોની વચ્ચે રહેતા, તેમના પ્રશ્નો માટે ખુલ્લેઆમ લડતા અને પોતાની સ્પષ્ટવક્તા માટે જાણીતા હતા. તેમની રાજકીય યાત્રા હંમેશાં પડકારોથી ભરેલી રહી પરંતુ દરેક પડકારમાં તેમની લડાયક ભાવના અને જનહિત માટેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ દેખાતી હતી.
ADVERTISEMENT
કેટલાક દિવસ પહેલા તેઓ દિલ્હીમાં માફિયા-પોલિટિક્સમાં જાણીતા મુખ્તાર અંસારી પરિવારની સાથે એક કુટુંબીય પ્રસંગે હાજર રહ્યા હતા. ત્યાંથી પરત ફરતા જ તેમની તબિયત બગડવા લાગી જેના કારણે તેમને લખનૌમાં દાખલ કરાયા. બે દિવસ સુધી ચાલેલા સારવાર બાદ આજે તેમનું નિધન થયું છે. ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા સુધાકર સિંહે મધુબન અને ઘોસીબન્ને મતવિસ્તારોમાં પોતાનું પ્રભાવ સ્પષ્ટ રીતે બતાવ્યું હતું. જાહેર મુદ્દાઓ પર વાણી ઉઠાવવાના કારણે તેમના પર અનેક કેસ થયા હતા અને તેમને ઘણી વખત જેલ પણ ભોગવવી પડી હતી.
घोसी विधानसभा से समाजवादी पार्टी के विधायक श्री सुधाकर सिंह जी का निधन, अत्यंत दुःखद!
— Samajwadi Party (@samajwadiparty) November 20, 2025
ईश्वर उनकी आत्मा को शांति दें।
शोक संतप्त परिजनों को यह असीम दुःख सहने का संबल प्राप्त हो।
भावभीनी श्रद्धांजलि ! pic.twitter.com/mtlH9GfCHS
ADVERTISEMENT
મુલાયમ સિંહ સામે બળવો-લડાયક સ્વભાવનું પ્રતીક
2017ની વિધાનસભા ચૂંટણીમાં મુલાયમ સિંહ યાદવ દ્વારા ટિકિટ ન મળતા તેમણે ખુલ્લેઆમ બળવો કરીને અપક્ષ તરીકે મેદાનમાં ઊતર્યા હતા. પછી જ્યારે પાર્ટીના બંને ખૂણાઓ મુલાયમ અને અખિલેશવચ્ચે સમાધાન થયું ત્યારે તેઓ ફરીથી સપામાં પાછા ફર્યા. આ ઘટના તેમના સિદ્ધાંતવાદ અને અડગ સ્વભાવનું સાક્ષાત્કાર કરાવતી હતી.
ADVERTISEMENT
2023 ની પેટાચૂંટણી પૂર્વાંચલમાં “શેર-એ-ઘોસી” ની ગર્જના
ADVERTISEMENT
2023ની ઘોસી પેટાચૂંટણી સુધાકર સિંહના રાજકીય કારકિર્દીનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ. યોગી સરકારની સંપૂર્ણ મશીનરી સામે તેમણે પ્રચંડ લડત આપી અને ભાજપ ઉમેદવાર દારા સિંહ ચૌહાણને લગભગ 50,000 મતોના વિશાળ અંતરથી પરાજય અપાવ્યો. આ જીત માત્ર રાજકીય જીત નહોતી તે પૂર્વાંચલની જનતા દ્વારા તેમને મળેલાં સન્માન અને પ્રેમનો પ્રતિક હતી. તેમનો સીધો, નિડર અને જનપક્ષીય સ્વભાવને કારણે તેમને "શેર-એ-ઘોસી" ઉપનામ મળ્યું હતું.

ADVERTISEMENT
સપા પરિવારમાં શોકની લાગણી
સપા પ્રમુખ અખિલેશ યાદવએ તેમના અવસાન પર ઊંડો શોક વ્યક્ત કરતાં કહ્યું “સુધાકર ભાઈ માત્ર નેતા નહોતા, તેઓ અમારા પરિવારના સભ્ય હતા. તેમની ખોટ ક્યારેય પૂરી થઈ શકશે નહીં. આજે સમાજવાદી આંદોલનનો એક યોદ્ધા વિદાય પામ્યો છે.”
घोसी विधानसभा से समाजवादी पार्टी के विधायक श्री सुधाकर सिंह जी का निधन, अत्यंत दुःखद !
— Akhilesh Yadav (@yadavakhilesh) November 20, 2025
ईश्वर उनकी आत्मा को शांति दें।
शोक संतप्त परिजनों को यह असीम दुःख सहने का संबल प्राप्त हो।
भावभीनी श्रद्धांजलि ! pic.twitter.com/9N0njyJwlA
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.