બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:30 PM, 11 December 2025
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો. એક કાર બીજા વાહન સાથે અથડાઈ અને આગ લાગી, જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. માહિતી પ્રમાણે, પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર રસ્તાની બાજુ પર ઊભેલી એક વેગન આર કારને ફૂલ સ્પીડમાં આવી રહેલી બ્રેઝા કારે ટક્કર મારી દીધી. આ પછી વેગન આર લગભગ 200 મીટર દૂર જઈને અટકી અને તેમાં આગ લાગી ગઈ.
ADVERTISEMENT
આ ઘટના સમયે વેગન આર કારના કેટલાક લોકો બહાર ઊભા હતા, જ્યારે કેટલાક લોકો અંદર બેઠા હતા. આ ઘટનામાં વેગન આરમાં સવાર પાંચ લોકોના મોત થઈ ગયા, જેમાં ત્રણ બાળકો પણ સામેલ છે. જ્યારે બ્રેઝા કારના ચાર લોકો ઘાયલ હોવાનું જણાવાઈ રહ્યું છે. આ દુર્ઘટના બાદ સ્થાનિક લોકોએ ઘાયલોને બહાર કાઢ્યા અને પોલીસને જાણ કરી.

ADVERTISEMENT
માહિતી પ્રમાણે, પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર આ ભીષણ દુર્ઘટનામાં આઝમગઢમાં તૈનાત પોલીસ કોન્સ્ટેબલ જાવેદનો પરિવાર ખતમ થઈ ગયો. તેમની પત્ની અને ત્રણ બાળકો સહિત 5 લોકોના મોત થઈ ગયા. મઉથી લખનૌ જઈ રહેલી તેમની વેગન આર કારને પાંચથી બ્રેઝાએ ટક્કર મારી, જેનાથી CNG ટેન્કમાં આગ લાગી ગઈ.
આ પણ વાંચો: રાજસ્થાનમાં ઇથેનોલ પ્લાન્ટના વિરોધમાં ખેડૂતો ભડક્યા, ધારાસભ્યનું માથું ફોડી નાખ્યું, 14 વાહનો ફુંકી માર્યા
ADVERTISEMENT
દુર્ઘટનામાં કારમાં બેસેલી બે મહિલાઓ અને ત્રણ બાળકો જીવતા બળી ગયા. આગ લાગ્યા પછી કારણો દરવાજો પણ ન ખોલી શકવાના કારણે બળીને તેમનું મોત થઈ ગયું. પોલીસ અને સ્થાનિક લોકોએ 5 લોકોને બહાર કાઢ્યા પણ તેમનું મોત ઘટનાસ્થળે જ થઈ ચૂક્યું હતું. બારબંકીના ડીએમ શશાંક ત્રિપાઠીએ જણાવ્યું કે પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ભીષણ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે અને ઘાયલોને ટ્રોમા સેન્ટર મોકલવામાં આવ્યા છે, દુર્ઘટના પછી પોલીસ બંને ગાડીઓને કબજે કરી લીધી છે અને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે દુર્ઘટના વધારે સ્પીડને કારણે થઈ છે કે પછી ડ્રાઇવરને ઊંઘ આવી ગઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.