બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ઈન્ડિગોનું મોટું એલાન, 10,000 વળતર સાથે આ મોટો લાભ આપશે, મુસાફરોને રાહત

જાહેરાત / ઈન્ડિગોનું મોટું એલાન, 10,000 વળતર સાથે આ મોટો લાભ આપશે, મુસાફરોને રાહત

Vidhata Gothi

Last Updated: 02:58 PM, 11 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indigo Compensation: ઇન્ડિગો એરલાઇન્સે મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ કેન્સલ થયા પછી હવે મુસાફરોને રાહત આપવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ જાહેરાત કરી છે કે પ્રભાવિત મુસાફરોને સરકારના નિયમો પ્રમાણે, 5000 રૂપિયાથી 10000 રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે.

Indigo Compensation Announcement: તાજેતરમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઇન્ડિગોની ફ્લાઇટ્સ કેન્સલ થવાને કારણે મુસાફરોને ઘણી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ડિસેમ્બરના પહેલા અઠવાડિયા દરમિયાન ઇન્ડિગો એરલાઇન્સની સેંકડો ફ્લાઇટ્સ કેન્સલ કરી દેવામાં આવી, જેને કારણે મુસાફરોને ખૂબ જ પરેશાની થઈ, સાથે જ તેમને આર્થિક રીતે પણ ભારે નુકસાન થયું. આ પછી DGCAએ એરલાઇન્સ સામે સખત કાર્યવાહી કરી છે. આ પછી હવે ઇન્ડિગોએ 3, 4 અને 5 ડિસેમ્બરે મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ કેન્સલ થવાને કારણે મુસાફરોને રાહત આપવાની જાહેરાત કરી છે. કંપનીએ જાહેરાત કરી છે કે પ્રભાવિત મુસાફરોને સરકારના નિયમો પ્રમાણે, 5000 રૂપિયાથી 10000 રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે.

ટ્રાવેલ વાઉચરનો નિયમ

વળતરની સાથે જ એરલાઇને સૌથી વધુ અસરગ્રસ્ત મુસાફરોને 10,000 રૂપિયા સુધીનું વધારાનું ટ્રાવેલ વાઉચર આપવાની પણ જાહેરાત કરી છે. આ નિર્ણય એ મુસાફરો માટે મહત્ત્વપૂર્ણ રાહત માનવામાં આવે છે, જેમની મુસાફરીના પ્લાનિંગ અચાનક બદલાઈ ગયા અને જેમણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ ટ્રાવેલ વાઉચરની ખાસ વાત એ છે કે આ આગામી 12 મહિના સુધી ક્યારેય પણ વાપરી શકાય છે. મુસાફરો ભારતમાં ઇન્ડિગોના કોઈ પણ ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ રૂટ માટે આ વાઉચર્સનો ઉપયોગ કરી શકે છે.

vtv app promotion

કંપનીના જણાવ્યા પ્રમાણે, વળતરની રકમ DGCAના દિશાનિર્દેશો પ્રમાણે આપવામાં આવશે. જે મુસાફરોની ફ્લાઇટ્સ કેન્સલ થઈ, તેઓ નિયમો પ્રમાણે, આ વળતરના હકદાર છે. ઇન્ડિગોએ સ્પષ્ટ કર્યું કે વળતરની રકમ ફ્લાઇટનું અંતર, ટિકિટ કેટેગરી અને મુસાફરોને થયેલી અસુવિધાના આધારે આપવામાં આવશે. તેનો હેતુ મુસાફરોને થયેલા આર્થિક નુકસાન અને બિનજરૂરી પરેશનીઓને ઓછો કરવાનો છે.

આ પણ વાંચો: એક્સપ્રેસ વે પર કારના CNG ટેન્કમાં બ્લાસ્ટ થતાં ખૌફનાક એક્સિડન્ટ, 5 લોકો જીવતા ભૂંજાયા

મુસાફરોને ઇમેલ ચેક કરવાની સલાહ

ઇન્ડિગોએ જણાવ્યું કે 10 હજાર રૂપિયાનું ટ્રાવેલ વાઉચર એ મુસાફરોને આપવામાં આવશે, જેમને ટ્રાવેલ પ્લાન્સ એક કરતાં વધારે વખત બદલવા પડ્યા, જેમની ફ્લાઇટ્સ વારંવાર રિશેડ્યૂલ થઈ અથવા જેમને એરપોર્ટ પર લાંબી રાહ જોવી પડી. મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાના રજિસ્ટર્ડ ઇમેલ અને મોબાઈલ નંબર પર નોકવામાં આવેલા મેસેજ ચેક કરે, જેથી તેમને વળતર અને વાઉચર ક્લેમ કરવાની પ્રક્રિયામાં સરળતા રહે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indigo Flight Cancellation Indigo Compensation Announcement Travel Vouchers
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ