બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:19 AM, 15 August 2025
Independence Day 2025 : આજે ભારત તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે PM મોદીએ લાલ કિલ્લાથી અનેક મોટી જાહેરાત કરી છે. મહત્વનું છે કે, દર વર્ષની જેમ આ વખતે પણ પ્રધાનમંત્રી લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો હતો. આ સતત 12મી વાર હતું કે, PM મોદી લાલ કિલ્લાની પ્રાચીર પરથી ધ્વજને સલામી આપી છે. ધ્વજ ફરકાવ્યા પછી PM મોદી દેશને સંબોધિત કરી ભાષણ આપ્યું હતું. જોકે આજે PM મોદીએ સૌથી લાંબા ભાષણમાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. વાસ્તવમાં આજે PM મોદીએ 1 કલાક અને 44 મિનિટ એટલે કે 104 મિનિટનું સૌથી મોટું ભાષણ આપી નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે.
ADVERTISEMENT
લાલ કિલ્લા પરથી PM મોદીનું સંબોધન: કહ્યું હું કોઈનું ખોટું કરવા આવ્યો નથી પણ..#IndiaAt79 #15thAugust #15thaugust2025 #IndependenceDay #PmnarendraModi #vtvdigital pic.twitter.com/rpZ5VrCjEA
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 15, 2025
મહત્વનું છે કે, લાલ કિલ્લા પરથી દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર આપવામાં આવતું પ્રધાનમંત્રીનું ભાષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આખો દેશ તેને સાંભળે છે. આ દરમિયાન પ્રધાનમંત્રી દેશના ભવિષ્ય અને યોજનાઓ વિશે વાત કરે છે. લાલ કિલ્લાની પ્રાચીર પરથી સમગ્ર વિશ્વને સંદેશ પણ આપવામાં આવે છે. દર વર્ષે 15 ઑગસ્ટે જ્યારે ભારત પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે ત્યારે દેશના પ્રધાનમંત્રી લાલ કિલ્લાની પ્રાચીર પરથી ત્રિરંગો ફરકાવીને રાષ્ટ્રને સંબોધે છે. એ ઘટના માત્ર એક રાષ્ટ્રીય પરંપરા નથી, પણ દેશની ગૌરવગાથાનું પ્રતિબિંબ છે.
ADVERTISEMENT
લાલ કિલ્લા પરથી 12મીવાર PM મોદીનું ધ્વજવંદન
આ વર્ષ એટલે કે 2025માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12મીવાર લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવશે અને દેશને સંબોધશે. દરેક વખતે જેમ આ વર્ષે પણ દેશભરમાંથી કરોડો લોકો PM મોદીના ભાષણને જોઈ અને સાંભળી રહેશે. લાલ કિલ્લાની પ્રાચીર પરથી આપવામાં આવતું વડાપ્રધાનનું ભાષણ માત્ર રાષ્ટ્રીય જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નજર રાખવામાં આવતું ઘટનાક્રમ છે જ્યાંથી દેશના વિકાસ, યોજના અને દિશાનો ર્દશન મળે છે.
ADVERTISEMENT
મહત્વનું છે કે, આજના યુવાનો માટે આ જાણવું રસપ્રદ છે કે, પહેલીવાર લાલ કિલ્લા પરથી ત્રિરંગો 15 નહીં પરંતુ 16 ઑગસ્ટ 1947ના રોજ ફરકાવવામાં આવ્યો હતો. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ સ્વતંત્ર ભારતના પ્રથમ દિવસે લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવ્યો હતો. ત્યારથી આ પરંપરા અવિરત રીતે ચાલી રહી છે.

ADVERTISEMENT
હવે જાણો સૌથી લાંબું ભાષણ કોણે આપ્યું?
લાલ કિલ્લા પરથી આપવામાં આવતી ભાષણોમાં PM નરેન્દ્ર મોદીનો રેકોર્ડ સૌથી આગળ છે/ 2024માં PM મોદીએ 98 મિનિટનું ભાષણ આપ્યું, જે આજ સુધીનું સૌથી લાંબું ભાષણ છે. પહેલાં તેઓએ 2016માં 96 મિનિટ અને 2023 તથા 2020માં 90 મિનિટનાં ભાષણો આપ્યા હતા. આથી તેમણે પૂર્વ વડાપ્રધાન પંડિત નેહરુ (72 મિનિટ, 1947) અને ઈન્દરકુમાર ગુજરાલ (71 મિનિટ, 1997)ના રેકોર્ડ તોડ્યા છે. જોકે આજે PM મોદીએ 1 કલાક અને 44 મિનિટ એટલે કે 104 મિનિટનું સૌથી મોટું ભાષણ આપી નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : GSTને લઇ લાલ કિલ્લા પરથી PM મોદીનું સૌથી મોટું એલાન, દિવાળી સુધરી જશે!
સૌથી વધુ વખત ધ્વજવંદન કયા વડાપ્રધાને કર્યું?
ADVERTISEMENT
પંડિત જવાહરલાલ નહેરુના નામે લાલ કિલ્લા પરથી સૌથી વધુ વખત ત્રિરંગો ફરકાવવાનો રેકોર્ડ છે. તેમણે કુલ 17 વખત જેમાંથી 15 વખત સતત ધ્વજ ફરકાવ્યો. આજ સુધી કોઈ પણ વડાપ્રધાન આ સંખ્યાની નજીક પણ પહોંચ્યો નથી. લાલ કિલ્લા પરથી PMનું ભાષણ માત્ર એક વાણીપ્રસાર નથી પણ તે દેશના ભાવિ નક્કી કરતો દસ્તાવેજ સમાન છે. દરેક વખતે PMના સંદેશા રાષ્ટ્ર માટે નવી આશા, નવી દિશા અને ઉર્જા લાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.