બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:40 AM, 12 September 2025
Jagdeep Dhankhar : આજે દેશના 15માં ઉપરાષ્ટ્રપતિ તરીકે સી પી રાધાકૃષ્ણને શપથ ગ્રહણ કર્યા છે. આ દરમિયાન અગાઉ ઉપરાષ્ટ્રપતિ તરીકે રાજીનામું આપનાર જગદીપ ઘનખર ફરી એકવાર જાહેર જીવનમાં જોવા મળ્યા છે. વિગતો મુજબ આજે દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે સીપી રાધાકૃષ્ણને પરંપરાગત રીતે શપથ લીધા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સહિત ઘણા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. આ શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વેંકૈયા નાયડુ અને હામિદ અંસારી પણ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ રાજીનામાં બાદ પ્રથમ વખત જાહેર કાર્યક્રમમાં દેખાયા#FormerVicePresident #JagdeepDhankhar #vicepresident #dhankhar #radhakrishna #CPRadhakrishnan #OathTakingCeremony #VTVDigital pic.twitter.com/CkHpMde5xF
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 12, 2025
જગદીપ ધનખરના રાજીનામા પાછળના કારણો અને શાંતિનું જીવન
ADVERTISEMENT
જગદીપ ધનખરે પોતાનું રાજીનામું આપી અનેક સવાલો ઊભા કર્યા હતા. તેમણે સંસદના શિયાળુ સત્ર શરૂ થયા પછી તાત્કાલિક પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુપરત કર્યું હતું. રાજીનામાનું મુખ્ય કારણ તરીકે તેમણે પોતાના સ્વાસ્થ્યને દર્શાવ્યું હતું. ત્યારબાદ તેમણે દરેક જાહેર કાર્યક્રમોથી અંતર જાળવ્યું હતું.
#InPhotos | Former Vice President Jagdeep Dhankhar also attended the oath-taking ceremony of Vice President C.P. Radhakrishnan and congratulated him on becoming the 15th Vice President of India.
— United News of India (@uniindianews) September 12, 2025
(📸: Prem Singh / UNI)@CPRGuv | #JagdeepDhankhar | #CPRadhakrishnan |… pic.twitter.com/BPIjwWjf4z
ADVERTISEMENT
શપથગ્રહણમાં ધનખરની હાજરીની પ્રશંસા
જગદીપ ધનખર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સ્થાપિત લોકશાહી પરંપરાઓનું પાલન કર્યું હતું. તેમના બાજુમાં વેંકૈયા નાયડુ અને હામિદ અંસારી બેઠેલા જોવા મળ્યા હતા, જ્યારે ઓમ બિરલા પણ આ હરોળમાં બેઠેલા હતા. આ ઉપસ્થિતિએ રાજકીય ગલિયારાઓમાં નવો ચમકતા ચહેરો ઉભો કર્યો છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : આજે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેશે સી.પી. રાધાકૃષ્ણન, જગદીપ ધનખડ પણ રહેશે હાજર!
ADVERTISEMENT
સરકારી બંગલા અંગે માંગણી
પદ પરથી રાજીનામું આપ્યા પછી ધનખર હાલમાં દક્ષિણ દિલ્હી સ્થિત છતરપુર વિસ્તારમાં આવેલા ખાનગી ફાર્મહાઉસમાં નિવાસ કરી રહ્યા છે. આ ફાર્મહાઉસ અભય ચૌટાલા, INLD નેતાના માલિકીહક્ક હેઠળ છે. તેમણે ગૃહ અને શહેરી વિકાસ મંત્રાલયને પત્ર લખીને યોગ્ય સરકારી રહેઠાણ ફાળવવા વિનંતી કરી છે. જોકે મિનિસ્ટ્રી તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ સુત્રો મુજબ ટૂંક સમયમાં નિર્ણય લેવાઈ શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.