બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 47 ફ્લાઇટ્સ રદ, અનેક ટ્રેનો કેન્સલ, NDRF ખડેપગે, ભારત સાથે ટકરાવાની તૈયારીમાં ચક્રવાત 'દિત્વાહ'!
Last Updated: 08:18 AM, 30 November 2025
Cyclone Ditwah : દક્ષિણ ભારત હાલ ચક્રવાત દિત્વાહના ખતરાનાં મંડાણ વચ્ચે ચિંતિત છે. શ્રીલંકામાં વિનાશ મચાવ્યા બાદ આ વાવાઝોડું હવે તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાની નજીક પહોંચી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ ચક્રવાત 30 નવેમ્બરથી કિનારે અતિ નજીકથી પસાર થઈ રહ્યો છે અને રવિવાર સવાર-સાંજ દરમિયાન તે 25–50 કિમીના અંતરે રહેશે.
ADVERTISEMENT
IMDની ચેતવણી : અનેક જિલ્લામાં રેડ અને ઓરેન્જ એલર્ટ
IMDએ ચક્રવાતને લઈને તમિલનાડુના ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ અને પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે. જે વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના છે, તેમાં સમાવેશ થાય છે:
ADVERTISEMENT
પર્વતીય વિસ્તારો જેમ કે વેલ્લોર, ધર્મપુરી, ડિંડીગુલ અને થેનીમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગ અને રાજ્ય પ્રશાસનોએ લોકોને ઘરમાં રહેવા, દરિયાકાંઠાથી દૂર રહેવા અને સત્તાવાર સૂચનાઓનું કડક પાલન કરવાની અપીલ કરી છે.
ADVERTISEMENT
ચેન્નાઈ એરપોર્ટથી 47 ફ્લાઇટ્સ રદ
ચેન્નાઈ એરપોર્ટે રવિવાર માટે કુલ 47 ફ્લાઇટ્સ રદ કરી છે જેમાં 36 સ્થાનિક અને 11 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. ચક્રવાત દિત્વાહને કારણે હવામાનની સ્થિતિ હજુ પણ પ્રતિકૂળ છે, જેના કારણે કામગીરીમાં વિક્ષેપ પડી રહ્યો છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે, વધુ ફ્લાઇટ્સ વિક્ષેપો શક્ય છે. મુસાફરોને કોઈપણ અસુવિધા ટાળવા માટે એરપોર્ટ પર પહોંચતા પહેલા તેમની એરલાઇન્સ સાથે અપડેટેડ ફ્લાઇટ શેડ્યૂલ તપાસવાની સલાહ આપવામાં આવી છે.
ADVERTISEMENT
દક્ષિણ ભારતમાં રેલ સેવાઓ પ્રભાવિત
ચક્રવાત દિત્વાહએ તમિલનાડુમાં રેલ સેવાઓને પણ અસર કરી છે, જેના કારણે દક્ષિણ રેલ્વેએ તેના ટ્રેન સમયપત્રકમાં કેટલાક ફેરફારોની જાહેરાત કરી છે. દક્ષિણ રેલ્વેએ જણાવ્યું હતું કે, પંબન બ્રિજ પર પવનની ગતિ ઓછી થઈ ગઈ છે અને હવે તે નિર્ધારિત મર્યાદામાં છે. તેથી રામેશ્વરમ સુધી રેલ ટ્રાફિક ફરી શરૂ કરવા અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.
ADVERTISEMENT

NDRF ખડેપગે : વધારાની ટીમો ચેન્નાઈમાં એરલિફ્ટ
ADVERTISEMENT
ચક્રવાતના સંકટને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ તમામ વ્યવસ્થાઓ મજબૂત કરી છે. NDRFની 6મી બટાલિયનની પાંચ ટીમો વડોદરાથી એરલિફ્ટ કરીને ચેન્નાઈ મોકલવામાં આવી છે. તમામ ટીમો પૂર બચાવ સાધનો અને CSSR ઈક્વિપમેન્ટથી સજ્જ છે. વહિવટીતંત્રનો ધ્યેય છે કે પરિસ્થિતિ ગંભીર બને તો તરત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી શકાય.
#OperationSagarBandhu
— Randhir Jaiswal (@MEAIndia) November 29, 2025
National Disaster Response Force personnel @NDRFHQ in action in Sri Lanka. Helping with rescue and relief efforts to evacuate stranded people.
🇮🇳 🇱🇰 pic.twitter.com/enqAUBTCcn
આ પણ વાંચો : ચક્રવાત દિતવાહને લઈને તમિલનાડુ અને આંધ્રપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં IMD એ રેડ એલર્ટ જારી
High Commission of India in Colombo, Sri Lanka tweets, "Acting High Commissioner Dr Satyanjal Pandey met stranded Indian passengers at Bandaranaike International Airport, Colombo. Acting HC assured them of all possible assistance. He conveyed that Govt of India will facilitate… pic.twitter.com/KrasZfgY2l
— ANI (@ANI) November 29, 2025
શ્રીલંકામાં હાહાકાર પછી ભારત તરફ આગેકૂચ
ચક્રવાત દિત્વાહે શ્રીલંકાના દરિયામાં ભારે તોફાન મચાવ્યો હતો. 150થી વધુ લોકોના મોત અને વ્યાપક પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ વચ્ચે ફ્લાઇટ્સ રદ અને સેવાઓ ખોરવાઈ છે. આ તરફ કોલંબોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને મદદ કરવા કાર્યકારી હાઈ કમિશનર ડૉ. સત્યાંજલે અંગત રીતે મુલાકાત લીધી હતી અને તેમની ભારત પરતફેર માટે ત્વરિત વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.