ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 47 ફ્લાઇટ્સ રદ, અનેક ટ્રેનો કેન્સલ, NDRF ખડેપગે, ભારત સાથે ટકરાવાની તૈયારીમાં ચક્રવાત 'દિત્વાહ'!

સાયક્લોન અપડેટ / 47 ફ્લાઇટ્સ રદ, અનેક ટ્રેનો કેન્સલ, NDRF ખડેપગે, ભારત સાથે ટકરાવાની તૈયારીમાં ચક્રવાત 'દિત્વાહ'!

Published By: Priykant Shrimali

Last Updated: 08:18 AM, 30 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyclone Ditwah : ચક્રવાત ‘દિત્વાહ’નો ક્હેર : તમિલનાડુ-પુડુચેરીમાં રેડ એલર્ટ, 47 ફ્લાઇટ્સ રદ અને NDRF તૈનાત, અહીં જાણો તમામ વિગતો એક જ ક્લિકે

ADVERTISEMENT

Cyclone Ditwah : દક્ષિણ ભારત હાલ ચક્રવાત દિત્વાહના ખતરાનાં મંડાણ વચ્ચે ચિંતિત છે. શ્રીલંકામાં વિનાશ મચાવ્યા બાદ આ વાવાઝોડું હવે તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાની નજીક પહોંચી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ ચક્રવાત 30 નવેમ્બરથી કિનારે અતિ નજીકથી પસાર થઈ રહ્યો છે અને રવિવાર સવાર-સાંજ દરમિયાન તે 25–50 કિમીના અંતરે રહેશે.

IMDની ચેતવણી : અનેક જિલ્લામાં રેડ અને ઓરેન્જ એલર્ટ

IMDએ ચક્રવાતને લઈને તમિલનાડુના ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ અને પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે. જે વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના છે, તેમાં સમાવેશ થાય છે:

  • કુડ્ડલોર
  • નાગપટ્ટીનમ
  • મયિલાદુથુરાઈ
  • વિલુપ્પુરમ
  • ચેંગલપટ્ટુ
  • ચેન્નાઈ
  • કાંચીપુરમ
  • તિરુવલ્લુર
  • પુડુચેરી-કરૈકલ
  • તંજાવુર અને તિરુચિરાપલ્લી

પર્વતીય વિસ્તારો જેમ કે વેલ્લોર, ધર્મપુરી, ડિંડીગુલ અને થેનીમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગ અને રાજ્ય પ્રશાસનોએ લોકોને ઘરમાં રહેવા, દરિયાકાંઠાથી દૂર રહેવા અને સત્તાવાર સૂચનાઓનું કડક પાલન કરવાની અપીલ કરી છે.

ચેન્નાઈ એરપોર્ટથી 47 ફ્લાઇટ્સ રદ

ચેન્નાઈ એરપોર્ટે રવિવાર માટે કુલ 47 ફ્લાઇટ્સ રદ કરી છે જેમાં 36 સ્થાનિક અને 11 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. ચક્રવાત દિત્વાહને કારણે હવામાનની સ્થિતિ હજુ પણ પ્રતિકૂળ છે, જેના કારણે કામગીરીમાં વિક્ષેપ પડી રહ્યો છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે, વધુ ફ્લાઇટ્સ વિક્ષેપો શક્ય છે. મુસાફરોને કોઈપણ અસુવિધા ટાળવા માટે એરપોર્ટ પર પહોંચતા પહેલા તેમની એરલાઇન્સ સાથે અપડેટેડ ફ્લાઇટ શેડ્યૂલ તપાસવાની સલાહ આપવામાં આવી છે.

દક્ષિણ ભારતમાં રેલ સેવાઓ પ્રભાવિત

ચક્રવાત દિત્વાહએ તમિલનાડુમાં રેલ સેવાઓને પણ અસર કરી છે, જેના કારણે દક્ષિણ રેલ્વેએ તેના ટ્રેન સમયપત્રકમાં કેટલાક ફેરફારોની જાહેરાત કરી છે. દક્ષિણ રેલ્વેએ જણાવ્યું હતું કે, પંબન બ્રિજ પર પવનની ગતિ ઓછી થઈ ગઈ છે અને હવે તે નિર્ધારિત મર્યાદામાં છે. તેથી રામેશ્વરમ સુધી રેલ ટ્રાફિક ફરી શરૂ કરવા અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

NDRF ખડેપગે : વધારાની ટીમો ચેન્નાઈમાં એરલિફ્ટ

ચક્રવાતના સંકટને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ તમામ વ્યવસ્થાઓ મજબૂત કરી છે. NDRFની 6મી બટાલિયનની પાંચ ટીમો વડોદરાથી એરલિફ્ટ કરીને ચેન્નાઈ મોકલવામાં આવી છે. તમામ ટીમો પૂર બચાવ સાધનો અને CSSR ઈક્વિપમેન્ટથી સજ્જ છે. વહિવટીતંત્રનો ધ્યેય છે કે પરિસ્થિતિ ગંભીર બને તો તરત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી શકાય.

આ પણ વાંચો : ચક્રવાત દિતવાહને લઈને તમિલનાડુ અને આંધ્રપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં IMD એ રેડ એલર્ટ જારી

શ્રીલંકામાં હાહાકાર પછી ભારત તરફ આગેકૂચ

ચક્રવાત દિત્વાહે શ્રીલંકાના દરિયામાં ભારે તોફાન મચાવ્યો હતો. 150થી વધુ લોકોના મોત અને વ્યાપક પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ વચ્ચે ફ્લાઇટ્સ રદ અને સેવાઓ ખોરવાઈ છે. આ તરફ કોલંબોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને મદદ કરવા કાર્યકારી હાઈ કમિશનર ડૉ. સત્યાંજલે અંગત રીતે મુલાકાત લીધી હતી અને તેમની ભારત પરતફેર માટે ત્વરિત વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ditwah cyclone Cyclonic Storm Ditwah Ditwah

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ