બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 54 વર્ષથી બંધ મથુરાનું બાંકે બિહારી મંદિરનું દ્વાર ખોલતાં જ છૂટી ગઈ કંપારી, અંદરથી નીકળ્યું ભયાનક
Last Updated: 11:17 AM, 19 October 2025
મથુરાના વૃંદાવનમાં આવેલા બાંકે બિહારી મંદિરનો ખજાનો 54 વર્ષ બાદ ખોલવામાં આવ્યો હતો. 54 વર્ષની બંધ રૃમ ખોલવામાં આવતાં અધિકારીઓ હેરાન રહી ગયા હતા. રુમની અંદર થોડા ચાંદીના વાસણો બીજો સામાન હતો પરંતુ હંમેશ જેમ જોવામાં આવે છે તેવું જ અહીં પણ જોવામાં આવ્યું.
ADVERTISEMENT
રુમની અંદર મળ્યાં બે સાપ
સર્ચ કરનારી ટીમને રુમમાંથી બે સાપ મળ્યાં હતા. આ જોઈને ડર ફેલાયો હતો જોકે ત્યાર બાદ વન ખાતાને જાણ કરવામાં આવી અને બન્ને સાપને સહી સલામત લઈ જઈને દૂર છોડી મૂકાયા હતા.
ADVERTISEMENT
શું બોલ્યાં અધિકારીઓ
સીઓ સદર સંદીપ કુમારે જણાવ્યું હતું કે હાઈ પાવર કમિટીના નિર્દેશ પર તિજોરી ખોલવામાં આવી હતી અને તપાસ દરમિયાન ફક્ત થોડા ચાંદીના વાસણો અને વાસણો મળી આવ્યા હતા. હાલ પૂરતું, તિજોરી સીલ કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
ધાતુના વાસણો મળી આવ્યા
મંદિરના સેવાયત ઘનશ્યામ ગોસ્વામીએ જણાવ્યું હતું કે અંદરથી ફક્ત થોડા ધાતુના વાસણો મળી આવ્યા હતા.
ADVERTISEMENT
આખા વૃંદાવનમાં ફેલાયા ખજાનાના સમાચાર
ADVERTISEMENT
ખજાનાની શોધના સમાચાર આખા વૃંદાવનમાં ફેલાઈ ગયા. ભક્તો અને સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. દરેક વ્યક્તિ જાણવા માંગતો હતો કે તે રૂમમાં શું મળ્યું. શું ત્યાં કંઈક દૈવી છુપાયેલું હતું? કે પછી ફક્ત ભૂતકાળની યાદો? મંદિરની બહાર શ્રદ્ધા અને રહસ્યથી ભરપૂર ભીડ એકઠી થઈ ગઈ. ત્રણ કલાક પછી, રૂમ ફરીથી બંધ થઈ ગયો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.