બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 03:27 PM, 27 January 2024
34,728 કરોડના માલિક અને દેશની બીજી મોટી આઈટી કંપની ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિની એક મહાન સાદગી સામે આવી છે. નારાયણ મૂર્તિ પોતાના ઘરના ટોઈલેટ જાતે જ સાફ કરે છે તેનું કારણ પણ પોતે જણાવ્યું છે. ટોઈલેટ સાફ કરવાનું કામ કરનાર લોકો પણ આપણી જેવા છે જેવું દેખાડવા માટે તેઓ જાતે ટોઈલેટ સાફ કરે છે અને પોતાના બાળકોને પણ શીખવાડ્યું છે. એક મુલાકાતમાં તેમણે કહ્યું કે હું મારાં બાળકોને હળવેથી અને પ્રેમથી સમજાવીશ કે બીજા લોકોને માન આપવાનું આ સારું કામ છે(ટોઈલેટ સાફ કરવાનું) આપણા સમાજમાં શૌચાલય સાફ કરતા લોકોને હલકી નજરે જોવામાં આવે છે પરંતુ તેઓ પણ આપણા જેવા જ માણસો છે. નારાયણ મૂર્તિએ કહ્યું કે મારાં બાળકો બહુ જિજ્ઞાસુ છે. તેઓ નિરીક્ષણ કરે છે અને તેઓ ઘણું બધું પૂછવા માગે છે. હું તેમને કહીશ કે જુઓ, આપણાથી ઓછું કોઈ નથી. બન્યું એવું છે કે ભગવામે અમને ખૂબ સારા હાલતમાં મૂક્યાં છે પરંતુ આપણે બીજાની પણ કદર કરવી જોઈએ. મારા બન્ને બાળકો ખૂબ જ સમજદાર છે.
રાજનીતિમાં જોડાવાની કોઈ ઈચ્છા નથી
મૂર્તિએ રાજકારણમાં જોડાવાની કોઈ પણ યોજનાને સ્પષ્ટપણે નકારી કાઢી હતી કારણ કે તેઓ હવે ખુબ ઘરડા થયા છે. મને લાગે છે કે આમાંની કોઈ પણ બાબતમાં હું બહુ જ વૃદ્ધ છું. હું હવે 78 વર્ષનો છું. પોતાની યોજનાઓ વિશે જણાવતાં તેમણે કહ્યું હતું કે હવે તેઓ પોતાનાં બાળકો અને પૌત્ર-પૌત્રીઓ સાથે સમય પસાર કરવા માગે છે તે ઉપરાંત સંગીતનો આનંદ માણવાની અને ભૌતિકશાસ્ત્રથી લઈને અર્થશાસ્ત્ર સુધીના વિવિધ વિષયો પર વાંચવાની પણ યોજના ધરાવે છે.
જનતાની સેવા માટે રાજનીતિમાં જવાની નથી-સુધા મૂર્તિ
નારાયણ મૂર્તિની પત્ની લેખિકા અને પરોપકારી સુધા મૂર્તિએ પણ કહ્યું હતું કે જનતાની સેવા કરવા માટે તેમણે રાજકારણમાં જોડાવાની જરૂર નથી.
34,728 કરોડના માલિક છે નારાયણ મૂર્તિ
ઉલ્લેખનીય છે નારાયણ મૂર્તિ દેશની બીજી મોટી આઈટી કંપની ઈન્ફોસિસના સ્થાપક છે અને તેમની કંપનીની નેટવર્થ 34,728 કરોડથી વધુ છે.
અઝીમ પ્રેમજીએ નોકરી ન આપી એટલે બનાવી દીધી ઈન્ફોસિસ
નારાયણ મૂર્તિએ ખુલાસો કર્યો છે કે આઇટી કંપની વિપ્રોના સંસ્થાપક અઝીમ પ્રેમજીને કારણે ઈન્ફોસિસ અસ્તિત્વમાં આવી હતી. તેમણે કહ્યું કે જ્યારે નોકરી શોધતી વખતે તેમણે વિપ્રોમાં અરજી કરી હતી પરંતુ અઝીમ પ્રેમજીની કંપનીએ નારાયણ મૂર્તિની નોકરીની અરજી નકારી કાઢી હતી. વિપ્રોમાં નોકરી ન મળતાં નારાયણ મૂર્તિ નિરાશ નહોતા થયા અને તેમણે પત્ની સુધા પાસેથી 10,000ની લોન લઈને ઈન્ફોસિસનું બીજ રોપ્યું હતું અને સમયે તેમને સાથ આપ્યો અને જોતજોતામા ઈન્ફોસિસ દેશની ટોપ-3 આઈટી કંપનીમાં સામેલ થઈ ગઈ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime