બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Narayana Murthy Was Asked Why He Cleans His Toilets

ઉદ્યોગપતિની સાદગી / જાતે ટોઈલેટ સાફ કરે છે 34,728 કરોડના માલિક નારાયણ મૂર્તિ, આપ્યું દિલ જીતી લેતું કારણ

Hiralal

Last Updated: 03:27 PM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ફોસિસ ફાઉન્ડર નારાયણ મૂર્તિની સાદગી તો જાણીતી છે. તેમણે એવું કહ્યું કે તેઓ પોતાના ટોઈલેટ જાતે જ સાફ કરે છે.

  • ઈન્ફોસિસ ફાઉન્ડર નારાયણ મૂર્તિની સાદગી
  • જાતે જ પોતાના ટોઈલેટ સાફ કરે છે
  • સંતાનોને પણ શીખવાડે છે
  • ટોઈલેટ સાફ કરનાર લોકોના કદર તરીકે 

34,728 કરોડના માલિક અને દેશની બીજી મોટી આઈટી કંપની ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિની એક મહાન સાદગી સામે આવી છે. નારાયણ મૂર્તિ પોતાના ઘરના ટોઈલેટ જાતે જ સાફ કરે છે તેનું કારણ પણ પોતે જણાવ્યું છે. ટોઈલેટ સાફ કરવાનું કામ કરનાર લોકો પણ આપણી જેવા છે જેવું દેખાડવા માટે તેઓ જાતે ટોઈલેટ સાફ કરે છે અને પોતાના બાળકોને પણ શીખવાડ્યું છે. એક મુલાકાતમાં તેમણે કહ્યું કે હું મારાં બાળકોને હળવેથી અને પ્રેમથી સમજાવીશ કે બીજા લોકોને માન આપવાનું આ સારું કામ છે(ટોઈલેટ સાફ કરવાનું) આપણા સમાજમાં શૌચાલય સાફ કરતા લોકોને હલકી નજરે જોવામાં આવે છે પરંતુ તેઓ પણ આપણા જેવા જ માણસો છે. નારાયણ મૂર્તિએ કહ્યું કે મારાં બાળકો બહુ જિજ્ઞાસુ છે. તેઓ નિરીક્ષણ કરે છે અને તેઓ ઘણું બધું પૂછવા માગે છે.  હું તેમને કહીશ કે જુઓ, આપણાથી ઓછું કોઈ નથી. બન્યું એવું છે કે ભગવામે અમને ખૂબ સારા હાલતમાં મૂક્યાં છે પરંતુ આપણે બીજાની પણ કદર કરવી જોઈએ. મારા બન્ને બાળકો ખૂબ જ સમજદાર છે. 

રાજનીતિમાં જોડાવાની કોઈ ઈચ્છા નથી 
મૂર્તિએ રાજકારણમાં જોડાવાની કોઈ પણ યોજનાને સ્પષ્ટપણે નકારી કાઢી હતી કારણ કે તેઓ હવે ખુબ ઘરડા થયા છે. મને લાગે છે કે આમાંની કોઈ પણ બાબતમાં હું બહુ જ વૃદ્ધ છું. હું હવે 78 વર્ષનો છું. પોતાની યોજનાઓ વિશે જણાવતાં તેમણે કહ્યું હતું કે હવે તેઓ પોતાનાં બાળકો અને પૌત્ર-પૌત્રીઓ સાથે સમય પસાર કરવા માગે છે તે ઉપરાંત સંગીતનો આનંદ માણવાની અને ભૌતિકશાસ્ત્રથી લઈને અર્થશાસ્ત્ર સુધીના વિવિધ વિષયો પર વાંચવાની પણ યોજના ધરાવે છે.

જનતાની સેવા માટે રાજનીતિમાં જવાની નથી-સુધા મૂર્તિ 
નારાયણ મૂર્તિની પત્ની લેખિકા અને પરોપકારી સુધા મૂર્તિએ પણ કહ્યું હતું કે જનતાની સેવા કરવા માટે તેમણે રાજકારણમાં જોડાવાની જરૂર નથી.

34,728 કરોડના માલિક છે નારાયણ મૂર્તિ
ઉલ્લેખનીય છે નારાયણ મૂર્તિ દેશની બીજી મોટી આઈટી કંપની ઈન્ફોસિસના સ્થાપક છે અને તેમની કંપનીની નેટવર્થ 34,728 કરોડથી વધુ છે. 

અઝીમ પ્રેમજીએ નોકરી ન આપી એટલે બનાવી દીધી ઈન્ફોસિસ 
નારાયણ મૂર્તિએ ખુલાસો કર્યો છે કે આઇટી કંપની વિપ્રોના સંસ્થાપક અઝીમ પ્રેમજીને કારણે ઈન્ફોસિસ અસ્તિત્વમાં આવી હતી. તેમણે કહ્યું કે જ્યારે નોકરી શોધતી વખતે તેમણે વિપ્રોમાં અરજી કરી હતી પરંતુ અઝીમ પ્રેમજીની કંપનીએ નારાયણ મૂર્તિની નોકરીની અરજી નકારી કાઢી હતી. વિપ્રોમાં નોકરી ન મળતાં નારાયણ મૂર્તિ નિરાશ નહોતા થયા અને તેમણે પત્ની સુધા પાસેથી 10,000ની લોન લઈને ઈન્ફોસિસનું બીજ રોપ્યું હતું અને સમયે તેમને સાથ આપ્યો અને જોતજોતામા ઈન્ફોસિસ દેશની ટોપ-3 આઈટી કંપનીમાં સામેલ થઈ ગઈ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ