બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ધર્મ / Mystery of Kedareshwar cave temple The present pillar is said to symbolise the final yuga Kalyugs
Megha
Last Updated: 01:59 PM, 27 August 2023
Mystery of Kedareshwar cave temple: આપણું ઘર કે કોઈપણ ઈમારતનો પાયો ચાર થાંભલા પર ટકેલો છે. તેના પાયાના આ ચાર સ્તંભો ઈમારતને મજબૂતી આપે છે પણ ભારતમાં એક એવું મંદિર છે જે વર્ષોથી માત્ર એક જ સ્તંભ પર ઊભું છે. આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ હશે. પરંતુ તે સાચું છે. ભારતનું કેદારેશ્વર મંદિર એક જ સ્તંભ પર ઊભું છે.
કેદારેશ્વર મંદિર ક્યાં આવેલું છે?
હરિશ્ચંદ્રગઢમાં આવેલ શ્રી કેદારેશ્વર ગુફા મંદિર એ મંત્રમુગ્ધ કરી દેતા મંદિરોમાંનું એક છે. ભારતના મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલું મંદિર હરિશ્ચંદ્રગઢ પહાડી કિલ્લા પર આવેલું છે અને આધ્યાત્મિકતા અને ઇતિહાસમાં રસ ધરાવતા લોકો માટે મુલાકાત લેવી આવશ્યક છે. અહીં હાજર હરિશ્ચંદ્રગઢ નામની પહાડીઓ ટ્રેકિંગ માટે જાણીતી છે. કેદારેશ્વર મંદિર આ ટેકરીઓમાં સ્થિત એક ગુફાની અંદર બનેલું છે, જ્યાં આખું વર્ષ પાણી પણ ઉપલબ્ધ રહે છે. કેદારેશ્વર ગુફા મંદિર અન્ય મંદિરોથી સાવ અલગ છે. હરિશ્ચંદ્રગઢ પહાડીઓના દુર્ગમ રસ્તાઓ પાર કર્યા પછી મહાદેવનું આ મંદિર જોઈને એક અલગ જ અનુભૂતિ થાય છે.
સ્તંભનું રહસ્ય શું છે?
અહીં 4500 ફૂટની ઉંચાઈ પર મહાદેવનું મંદિર છે, આ મંદિરના દર્શન કરવા માટે તરીને જવું પડે છે. કહેવાય છે કે આ વિશ્વ આ મંદિરના ચાર સ્તંભો પર ટકે છે, સનાતન ધર્મ અનુસાર ચાર યુગ છે- સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ, શિવના આ મંદિરના ચારમાંથી ત્રણ સ્તંભ તૂટી પડ્યા છે અને હવે માત્ર એક જ સ્તંભ પર આ મંદિર ટકે છે. સાથે જ એવું કહેવાય છે કે જ્યારે આ ચોથો સ્તંભ તૂટી જશે ત્યારે સર્વનાશ આવશે, કલયુગનો અંત આવશે અને સતયુગ ફરી આવશે.
એવું માનવામાં આવે છે કે જેમ-જેમ યુગનો અંત આવ્યો તેમની સાથે સંબંધિત સ્તંભો આપોઆપ નાશ પામ્યા. હવે કળિયુગનું પ્રતિનિધિત્વ કરતો સ્તંભ ઊભો છે અને માનવામાં આવે છે કે આ કળિયુગના અંત પછી આ છેલ્લો સ્તંભ પણ પડી જશે.
Kedareshwar Cave (Shivling), Harishchandra Garh Fort
— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) October 20, 2022
The 4 pillars of this temple represent Satyuga, Tretayuga, Dwaparayuga and Kaliyuga.
Its three pillars have been uprooted. It is said that if the 4th pillar is uprooted, then the whole creation will end.
Har Har Mahadev pic.twitter.com/LCo63FVmgp
રહસ્યમય કુંડ
ટેકરીઓ અને ગુફાની અંદર હોવા છતાં, આ મંદિરની મધ્યમાં એક પાણીનું કુંડ છે જેમાં આખું વર્ષ પાણી રહે છે. નવાઈની વાત એ છે કે આ કુંડનું પાણી ઉનાળામાં ખૂબ ઠંડુ અને શિયાળામાં ગરમ રહે છે. આ કુંડની મધ્યમાં પાંચ ફૂટનું શિવલિંગ આવેલું છે. આ શિવલિંગ સુધી પહોંચવા માટે કમર-ઊંડા જળાશયમાં ઉતરવું પડે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime