બ્રેકિંગ ન્યુઝ
મેલેરિયા મચ્છરની બે પ્રમુખ પ્રજાતિમાં વાઇવેક્સથી વધુ ફેલ્સિફેરમ ખતરનાક અને જીવલેણ છે. તે કિડની અને લીવરને નુકશાન પહોંચાડે છે. મેલેરિયા મચ્છર પ્લાઝમોડિયમ પરજીવીનું હોય છે. તેનું વાહક માદા એનાફિલીઝ હોય છે. તે સાંજે 5થી 7 વાગ્યાની વચ્ચે સક્રિય હોય છે. તેની ફેલ્સિફેરમ પ્રજાતી સીધી લાલ રક્ત કોશિકાઓ પર અસર કરે છે. તે કરડે તેના 48 કલાકની અંદર શરદી, તાવ, માથાનો દુખાવો, આંખોનો પીળો રંગ જેવા લક્ષણો સામે આવે છે. આવા સમયે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.
ADVERTISEMENT
ટાઇગર મોસ્કિટો(ડેન્ગી)
ડેન્ગી એટલે કે હાડકાતોડ તાવ એડીસ મચ્છર કરડવાથી થાય છે. આ રોગમાં કમરમાં સખત દુઃખાવો, આંખના ઉપરના ભાગમાં દર્દ અને ગંભીર રીતે થતા પ્લેટલેટ્સ ઘટવા લાગે છે. ગંભીર અવસ્થામાં ડેંગ્યુ સ્ટ્રોક સિન્ડ્રોમ થાય છે.

ADVERTISEMENT
ચિકનગુનિયા
એડીઝ ઇજિપ્ટીથી તે ફેલાય છે. તેના વાહક પણ ડેંગ્યુ મચ્છર જ છે. અંતર માત્ર એટલુ છે કે તેમાં શરીરના મુખ્ય સાંધામા દુઃખાવો થાય છે. મચ્છર કરડવાથી 4થી 7 દિવસ પછી સાંધામા દુખાવો, સોજો, તાવ અને મસલ્સ પેઇન થાય છે.

ADVERTISEMENT
હર્બલ છોડ મચ્છર ભગાવશે
મચ્છરોથી બચવા માટે લીમડો, નીલગીરિ અને લેમનગ્રાસ તેલ, સ્પ્રે અને રોલર ત્વચા પર લગાવી શકાય છે. ઘરમાં ઇંડોર છોડ જેમકે તુલસી, લવન્ડર, લેમનગ્રાસ, પિપરમિંટ રાખો. ગુલમહેંદીના સુકા પાંદડા સળગાવો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.