બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અમદાવાદ / More than 120 employees were released by the new management in Gujarat Vidyapeeth
Kishor
Last Updated: 05:24 PM, 2 June 2023
ગૂજરાતની ઓળખ અને ગૌરવ કહી શકાય એવી ગૂજરાત વિદ્યાપીઠ છેલ્લા કેટલાક વર્ષથી પોતાના અનેક નિર્ણયોને લઇને ચર્ચાના ચકડોળે ચડ્યા હતા. તેવામાં આવો જ એક આશ્ચર્યજનક નિર્ણય લેવાતા ફરી ચર્ચામાં આવી છે. આ વખતે ગુજરાત વિદ્યાપીઠમાંથી 120 કરતાં વધુ કર્મચારીઓને છૂટા કરી દેવાયા છે. આ એવા કર્મચારીઓ છે જેઓ સંસ્થા સાથે છેલ્લા 20-25 વર્ષથી જોડાયેલા છે. ત્યારે અચાનક તેઓને છૂટા કરી દેવાતા ભારે ચર્ચા જાગી છે. તો બીજી બાજુ વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ મીડિયાથી વાત કરવાથી ભાગી રહ્યાં છે. ત્યારે આવનારા દિવસોમાં આ મુદ્દો વધુ ગંભીર બને તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે.
સાદરા, રાંધેજા અને અમદાવાદના કર્મચારીઓને કરાયા છુટા
પ્રાથમિક વિગત મુજબ ગૂજરાત વિદ્યાપીઠમાંથી 120 કરતાં વધુ કર્મચારીઓને અચાનક છૂટા કરવાનો નિર્ણય વહીવટતંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. જેમાં સાદરા, રાંધેજા અને અમદાવાદના કર્મચારીઓનો સમાવેશ થાય છે. તો આ કઠોર નિર્ણય વિદ્યાપીઠના નવા મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાપીઠમાંથી કર્મચારીને છૂટા કરવાના નિર્ણયનો વિરોધ કરવા માટે તેઓ ટ્રસ્ટીઓની બેઠકમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા.
VTV સમક્ષ ટ્રસ્ટી હર્ષદ પટેલે જવાબ આપવાનું ટાળ્યું
જેમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા, હર્ષદ પટેલ, કુલનાયક, રજિસ્ટર વચ્ચે બેઠક મળી હતી. જ્યારે સમગ્ર બાબતે VTV દ્વારા ટ્રસ્ટી હર્ષદ પટેલ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓએ જવાબ આપવાનું ટાળ્યું હતું. જ્યારે વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર ભરત જોશીએ ગોળગોળ જવાબો આપી વાતને ટાળવાનો પ્રયાસ કર્યો હતો. બીજી બાજુ છૂટા કરાયેલા કર્મચારીઓ જેઓ વર્ષોથી આ સંસ્થા સાથે જોડાયેલા હતા, હવે ઢળતી ઉંમરે બીજે ક્યાં નોકરી કરવા જશે તેવી અવઢવમાં મૂકાયા છે. ત્યારે આ બાબત આવનારા દિવસોમાં વધુ ગંભીર બને તેમ લાગી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime