તાજેતરમાં મોરબીમાં જે હોનારતથી મોટી જાનહાની થઈ તેથી ગુજરાત સહિત દેશભરમાં શોકનો માહોલ છે. 140થી વધુ લોકો મોતને ભેટયા છે. આ જે લોકોએ જીવ ખોયો છે એ તંત્ર માટે લોકો હોઇ શકે પણ તે કોઈના દિકરા છે તો કોઈનો બાપ, કોઈની પત્ની છે તો કોઈની દીકરી કે પુત્ર, જે કરુંણ ઘટના સર્જાઇ તે ભૂલી શકાય તેમ નથી. પણ આ દુર્ઘટનાના ગુનેગારોને કડક સજા થાય તેવું દરેક ભારતવાસી ઈચ્છી રહ્યો છે. ત્યારે પોલીસ દ્વારા આરોપીઓ સામે કડક કલમો પણ લગાવી દેવામાં આવી છે. આ કલમમાં કેટલી સજાનું અને શું છે પ્રાવધાન જુઓ Daily Dose