બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ચોમાસામાં કેટલાક લોકોના સાંધાના દુખાવામાં કેમ વધારો થાય છે? જાણો વરસાદી હવામાન અને શરીર વચ્ચેનું કનેક્શન
6 ફોટો ગેલેરી
Last Updated: 02:17 PM, 4 August 2026
1/6
2/6
ઓર્થોપેડિક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ચોમાસા દરમિયાન વાતાવરણનું દબાણ એટલે કે બેરોમેટ્રિક પ્રેશર ઘટે છે. તેના કારણે સાંધાના ટિશ્યૂ પર અસર પડે છે. જેમને પહેલેથી જ આર્થરાઇટિસ અથવા સાંધામાં સોજાની સમસ્યા હોય, તેમને દુખાવો અને જકડાણ વધુ અનુભવાય છે. ઘણા લોકો વરસાદ શરૂ થાય તે પહેલાં જ સાંધામાં ભારેપણું અનુભવતા હોય છે.
3/6
વરસાદી ઋતુમાં હવામાં ભેજનું પ્રમાણ વધી જાય છે. તેના કારણે સ્નાયુઓ અને લિગામેન્ટ્સ વધુ કડક થઈ શકે છે. પરિણામે સાંધાની લવચીકતા ઘટે છે અને ચાલવામાં કે ઊભા થવામાં મુશ્કેલી અનુભવાય છે. ખાસ કરીને સવારે ઉઠતી વખતે ઘૂંટણ અને કમરમાં જકડાણ સામાન્ય ફરિયાદ બની જાય છે.
4/6
5/6
જે લોકોને ઓસ્ટિઓઆર્થરાઇટિસ, ર્યુમેટોઇડ આર્થરાઇટિસ, જૂની ઇજા, ફ્રેક્ચર અથવા ઘૂંટણ બદલવાની સર્જરી થઈ હોય, તેમને ચોમાસામાં વધુ તકલીફ થઈ શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે ચોમાસું નવી બીમારી લાવતું નથી, પરંતુ પહેલેથી રહેલી સમસ્યાના લક્ષણોને વધુ સ્પષ્ટ બનાવે છે.
6/6
દરરોજ 30થી 40 મિનિટ હળવી ચાલ કે ઘરઆંગણે કસરત કરો. લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી ન રહો. સાંધાને ઠંડી અને ભેજવાળી હવાથી બચાવો. કેલ્શિયમ અને વિટામિન-Dથી ભરપૂર સંતુલિત આહાર લો. જો ફિઝિયોથેરાપી ચાલુ હોય તો તેને નિયમિત રાખો. જો દુખાવા સાથે સોજો, તાવ અથવા ચાલવામાં વધુ મુશ્કેલી થતી હોય તો તેને માત્ર હવામાનની અસર માનીને અવગણશો નહીં અને તરત જ ઓર્થોપેડિક નિષ્ણાતનો સંપર્ક કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ