બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ચોમાસામાં કેટલાક લોકોના સાંધાના દુખાવામાં કેમ વધારો થાય છે? જાણો વરસાદી હવામાન અને શરીર વચ્ચેનું કનેક્શન

photo-story

6 ફોટો ગેલેરી

તમારા કામનું / ચોમાસામાં કેટલાક લોકોના સાંધાના દુખાવામાં કેમ વધારો થાય છે? જાણો વરસાદી હવામાન અને શરીર વચ્ચેનું કનેક્શન

Last Updated: 02:17 PM, 4 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ચોમાસું ગરમીથી રાહત આપે છે, પરંતુ ઘણા લોકો માટે આ ઋતુ સાંધાના દુખાવામાં વધારો પણ લાવે છે. ખાસ કરીને ઘૂંટણ, કમર, ખભા અને અન્ય સાંધામાં દુખાવાની સમસ્યા વધુ અનુભવાય છે.

1/6

photoStories-logo

1. ચોમાસામાં કેટલાક લોકોના સાંધાના દુખાવામાં કેમ વધારો થાય છે?

નેશનલ બોન એન્ડ જૉઇન્ટ ડેના અવસરે નિષ્ણાતોએ જણાવ્યું છે કે આ માત્ર લોકોની માન્યતા નથી, પરંતુ તેની પાછળ વૈજ્ઞાનિક કારણો પણ જવાબદાર છે. યોગ્ય કાળજી રાખવાથી આ સમસ્યાને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ચોમાસામાં સાંધાનો દુખાવો કેમ વધે છે?

ઓર્થોપેડિક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ચોમાસા દરમિયાન વાતાવરણનું દબાણ એટલે કે બેરોમેટ્રિક પ્રેશર ઘટે છે. તેના કારણે સાંધાના ટિશ્યૂ પર અસર પડે છે. જેમને પહેલેથી જ આર્થરાઇટિસ અથવા સાંધામાં સોજાની સમસ્યા હોય, તેમને દુખાવો અને જકડાણ વધુ અનુભવાય છે. ઘણા લોકો વરસાદ શરૂ થાય તે પહેલાં જ સાંધામાં ભારેપણું અનુભવતા હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. હવામાં ભેજ વધવાથી શું અસર થાય છે?

વરસાદી ઋતુમાં હવામાં ભેજનું પ્રમાણ વધી જાય છે. તેના કારણે સ્નાયુઓ અને લિગામેન્ટ્સ વધુ કડક થઈ શકે છે. પરિણામે સાંધાની લવચીકતા ઘટે છે અને ચાલવામાં કે ઊભા થવામાં મુશ્કેલી અનુભવાય છે. ખાસ કરીને સવારે ઉઠતી વખતે ઘૂંટણ અને કમરમાં જકડાણ સામાન્ય ફરિયાદ બની જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ઓછી શારીરિક હિલચાલ પણ જવાબદાર

ચોમાસામાં લોકો બહાર ઓછા નીકળે છે અને કસરત પણ ઓછી કરે છે. લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી સાંધાની હલનચલન ઘટે છે અને તેમને ટેકો આપતા સ્નાયુઓ નબળા પડવા લાગે છે. ઉપરાંત ધૂપ ઓછી મળવાને કારણે વિટામિન-Dની ઉણપ પણ હાડકાં અને સ્નાયુઓને અસર કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. કોને સૌથી વધુ તકલીફ થઈ શકે?

જે લોકોને ઓસ્ટિઓઆર્થરાઇટિસ, ર્યુમેટોઇડ આર્થરાઇટિસ, જૂની ઇજા, ફ્રેક્ચર અથવા ઘૂંટણ બદલવાની સર્જરી થઈ હોય, તેમને ચોમાસામાં વધુ તકલીફ થઈ શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે ચોમાસું નવી બીમારી લાવતું નથી, પરંતુ પહેલેથી રહેલી સમસ્યાના લક્ષણોને વધુ સ્પષ્ટ બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સાંધાને સ્વસ્થ રાખવા શું કરવું?

દરરોજ 30થી 40 મિનિટ હળવી ચાલ કે ઘરઆંગણે કસરત કરો. લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી ન રહો. સાંધાને ઠંડી અને ભેજવાળી હવાથી બચાવો. કેલ્શિયમ અને વિટામિન-Dથી ભરપૂર સંતુલિત આહાર લો. જો ફિઝિયોથેરાપી ચાલુ હોય તો તેને નિયમિત રાખો. જો દુખાવા સાથે સોજો, તાવ અથવા ચાલવામાં વધુ મુશ્કેલી થતી હોય તો તેને માત્ર હવામાનની અસર માનીને અવગણશો નહીં અને તરત જ ઓર્થોપેડિક નિષ્ણાતનો સંપર્ક કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Arthritis Joint Pain Causes Monsoon Joint Pain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ