બ્રેકિંગ ન્યુઝ
VTV / Modi government's huge plan, after retirement, husband and wife will earn 10 thousand rupees per month
ADVERTISEMENT

આ યોજના વર્ષ 2015માં PM મોદીએ લોન્ચ કરી હતી.
ADVERTISEMENT
જો તમે સરકારી નોકરી કરવા માંગો છો અને પેન્શન મેળવવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં, અમે તમને એક એવી સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યો છીએ, જેમાં તમને ઓછો રોકાણ પર ખાતરીપૂર્વક પેન્શન મળશે. અમે વાત કરી રહ્યા છીએ કેન્દ્ર સરકારની અટલ પેન્શન યોજનાની.આ સ્કીમ તમારા વૃદ્ધાવસ્થાનો સહારો બની શકે છે. આ યોજના વર્ષ 2015માં પીએમ મોદીએ લોન્ચ કરી હતી.
.jpg)
ADVERTISEMENT
પતિ-પત્ની બંનેને ફાયદો થશે
પતિ-પત્ની બંને અટલ પેન્શન યોજનાનો લાભ લઈ શકે છે. જેમાં બંને અલગ- અલગ રોકાણ કરે તો તેમને 10 હજાર રૂપિયા સુધીનું માસિક પેન્શન મળી શકે છે. તમને જણાવી દઈએ કે, અટલ પેન્શન યોજનામાં 60 વર્ષની ઉંમર વટાવ્યા બાદ સરકાર દર મહિને 1000 રૂપિયાથી 5000 રૂપિયા પેન્શનની ખાતરી આપે છે.
ADVERTISEMENT
આ યોજના માટે જરૂરી વસ્તુઓ
40 વર્ષની ઉંમરની કોઈપણ વ્યક્તિ અટલ પેન્શન યોજના માટે અરજી કરી શકે છે. આ માટે તમારી પાસે બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે. અટલ યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે પણ આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે. અટલ પેન્શન યોજના એ લોકોમાં ખૂબ જ પ્રખ્યાત પેન્શન યોજના છે, જેઓ પહેલેથી જ EPF, EPS જેવી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે, તેઓ અટલ પેન્શન યોજનાનો ભાગ બની શકતા નથી. આનો અર્થ એ થયો કે જે લોકો આવકવેરાના સ્લેબની બહાર છે તેઓ જ અટલ પેન્શન યોજનાનો લાભ મેળવી શકશે.
દર મહિને આટલું રોકાણ કરવું પડશે
ADVERTISEMENT
જો કોઈ વ્યક્તિ 18 વ4ષની ઉંમરે આ પેન્શન સ્કીમમાં જોડાય છે, તો તેણે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને નિવૃત્તિ પછી તેને દર મહિને 5000 રૂપિયાનું પેન્શન મળશે. તે જ સમયે, જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમર પછી આ યોજનામાં જોડાય છે, તો તેની ઉંમર અનુસાર, દર મહિને રોકાણ કરવાની રકમ પણ થોડી વધારે હશે.
ADVERTISEMENT

અટલ પેન્શન યોજનાના લાભો
આ યોજનાના બે ફાયદા છે, પહેલું પેન્શન અને બીજું આવકવેરા મુક્તિ આ યોજના 60 વર્ષની વયના લોકોને 1000 થી 5000 રૂપિયાનું લઘુત્તમ માસિક પેન્શન આપે છે. સરકારની આ પેન્શન યોજના હેઠળ 18 વર્ષથી 40 વર્ષની વયના લોકો જોડાઈ શકે છે. આમાં, 60 વર્ષની ઉંમર પછી રોકાણકારને નિશ્ચિત પેન્શનની રકમ અથવા રોકાણકારના મૃત્યુ પછી તેના જીવનસાથીને તે જ ગેરંટી પેન્શન આપવાની જોગવાઈ છે.
મૃત્યુના કિસ્સામાં શું થશે
આ યોજના સાથે સંકળાયેલ વ્યક્તિનું અકાળે મૃત્યુ થાય તો તેના પરિવારને લાભ ચાલુ રાખવાની પણ જોગવાઈ છે. અટલ પેન્શન યોજના સાથે સંકળાયેલ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેની પત્નીને પેન્શન આપવાની જોગવાઈ છે. બીજી તરફ જો પત્નીનું મૃત્યુ થાય છે તો આવી સ્થિતિમાં બાળકોને પેન્શન આપવાની જોગવાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.