બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Priyakant
Last Updated: 10:29 AM, 17 January 2024
Iran Strike Pakistan : ઈરાને મંગળવારે (16 જાન્યુઆરી) પાકિસ્તાનમાં આતંકવાદી જૂથ જૈશ અલ-અદલના ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. તેના પર પાકિસ્તાને દાવો કર્યો છે કે, હવાઈ હુમલામાં બે બાળકોના મોત થયા છે અને અન્ય ત્રણ ઘાયલ થયા છે. આ હુમલા બાદ પાકિસ્તાની વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું કે, આ એરસ્પેસનું ઉલ્લંઘન છે. આ હુમલો સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તેના ગંભીર પરિણામો આવી શકે છે.
ઈરાનની સરકારી સમાચાર એજન્સીના અહેવાલ મુજબ પાકિસ્તાનમાં હુમલા માટે મિસાઈલ અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈરાનની અંગ્રેજી ન્યૂઝ ચેનલે જણાવ્યું કે, આ હુમલો ઈરાનના અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. જોકે પાકિસ્તાને આ હુમલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પાકિસ્તાનની સંપ્રભુતાનું આ ઉલ્લંઘન સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. આના ગંભીર પરિણામો આવી શકે છે.
પાકિસ્તાને ઈરાનના વિદેશ મંત્રાલયને કરી ફરિયાદ
પાકિસ્તાને ઈરાની હુમલાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો. તેણે તેહરાનમાં ઈરાનના વિદેશ મંત્રાલયના સંબંધિત વરિષ્ઠ અધિકારી સમક્ષ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. આ સિવાય પાકિસ્તાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન કરવા બદલ ઈરાની રાજદ્વારીને વિદેશ મંત્રાલયમાં બોલાવવામાં આવ્યા હતા.
Pakistan 'strongly condemns' violation of its airspace by Iran
— ANI Digital (@ani_digital) January 16, 2024
Read @ANI Story | https://t.co/q7ApYfEUno#Pakistan #Iran pic.twitter.com/hiGt0s6wpK
આતંકવાદ એ તમામ દેશો માટે એક સામાન્ય ખતરો
પાકિસ્તાનના એક અધિકારીએ કહ્યું કે. આતંકવાદ એ ક્ષેત્રના તમામ દેશો માટે એક સામાન્ય ખતરો છે, જેના માટે આપણે સાથે મળીને કામ કરવું જોઈએ. જોકે આવા હુમલા સારા પાડોશી હોવાનો પુરાવો આપતા નથી. આ કારણે દ્વિપક્ષીય વિશ્વાસ ગંભીર રીતે નબળો પડી શકે છે.
જૈશ અલ-અદલ જૂથે હુમલાની પુષ્ટિ કરી
જૈશ અલ-અદલ જૂથે ઈરાની હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે માહિતી આપી હતી કે, ઈરાને મિસાઈલ અને ડ્રોનની મદદથી હુમલો કર્યો હતો. ઈરાને બલૂચિસ્તાનના પહાડોમાં જૈશ અલ-અદલ સંગઠનના અનેક ઉગ્રવાદીઓના ઘરોને નિશાન બનાવ્યા હતા. આ હુમલો ઓછામાં ઓછા છ ડ્રોન અને અનેક મિસાઈલોનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો. આ હુમલામાં જૈશ અલ-અદલ લડવૈયાઓના બે મકાનો ધ્વસ્ત થઈ ગયા હતા. તેમના પરિવારના સભ્યો જાનહાનિ બન્યા હતા. આ હુમલામાં બે સગીર બાળકોએ જીવ ગુમાવ્યો હતો. જેમાં એક કિશોરી સાથે બે મહિલાઓ ઘાયલ થઈ હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime