બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજ્યમાં ભર ઉનાળે વરસાદી માહોલ, 5 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટાની આગાહી
Last Updated: 02:37 PM, 30 March 2026
ગુજરાતમાં ભર ઉનાળાની વચ્ચે અચાનક હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો રહેવાની શક્યતા છે, જેના કારણે વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
ADVERTISEMENT

ક્યાં ક્યાં વરસાદની આગાહી કરવામાં આવી
ADVERTISEMENT
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે, આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

ADVERTISEMENT
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાને કારણે પણ વરસાદી
હવામાનમાં આ બદલાવ પાછળ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવું મુખ્ય કારણ માનવામાં આવે છે. સાથે સાથે ઇન્ડ્યુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસર પણ જોવા મળશે. વધુમાં, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાને કારણે પણ વરસાદી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે.
ADVERTISEMENT

રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે
ADVERTISEMENT
અમદાવાદ શહેરમાં આજે હળવા વરસાદની સંભાવના છે, જેના કારણે ગરમીમાં થોડી રાહત મળશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 2 અને 3 એપ્રિલના રોજ ફરી એકવાર વાતાવરણમાં પલટો આવી શકે છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. આ અનિશ્ચિત હવામાનને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ રાજકોટ અને કચ્છની કોર્ટને ફરી બોમ્બ ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
ADVERTISEMENT
આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.