બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Hiren
Last Updated: 08:07 PM, 3 March 2022
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં કુલ 18 હજાર ભારતીયોએ યૂક્રેન છોડ્યું છે. તેમણે કહ્યું કે, ઓપરેશન ગંગા તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. એક દિવસમાં 15 ફ્લાઇટ દ્વારા 3 હજાર ભારતીયોને પરત લવાયા છે.
છેલ્લા 24 કલાકમાં 30 ફ્લાઇટ્સથી 6400 ભારતીયોને પરત લવાયા છે. તેમણે સંકટ દરમિયાન મદદ માટે યૂક્રેન અને તેમના પાડોશી દેશોનો આભાર માન્યો છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, આવતીકાલે 15 અને આગામી 24 કલાકમાં 18 ફ્લાઇટ્સ નક્કી છે. રોમાનિયામાં એક નવા સ્થળ યાદીની ઓળખ થઇ ગઇ છે જ્યાં ફ્લાઇટ્સ દ્વારા ભારતીયોને પરત લાવવાના પ્રયાસોને વધારવામાં આવ્યા. તેમણે કહ્યું કે, મંત્રાલયનો પ્રયાસ વધુ ઉડાનો નક્કી કરવાનો છે.
વિદેશ મંત્રાલય તરફથી માહિતી આપવામાં આવી છે કે, ભારતીયો માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, આગામી 2-3 દિવસમાં અમે વધુ લોકોને પરત લાવીશું.
A total of 18,000 Indian nationals have left Ukraine since our first advisory was released. 30 flights under Operation Ganga have brought back 6,400 Indians from Ukraine so far. In the next 24 hours, 18 flights have been scheduled: MEA Spokesperson Arindam Bagchi pic.twitter.com/I2LC8jhBWS
— ANI (@ANI) March 3, 2022
ભારત સરકાર યૂક્રેન અને રશિયન અધિકારીના સંપર્કમાં છે
પ્રવક્તાએ જણાવ્યું કે, દુર્ભાગ્યથી યૂક્રેનમાં હિંસાના મામલાઓ સામે આવ્યા છે. ભારત સરકાર સતત યૂક્રેન અને રશિયાના અધિકારીઓના સંપર્કમાં છે. તેમણે કહ્યું કે, અમને જાણ છે કે યૂક્રેનમાં હજુ પણ હજારો ભારતીય છે. એડવાઇઝરી જાહેર થયા બાદ પણ કેટલાક ભારતીય ખારકીવમાં પણ છે. જે લોકો ખારકીવ નથી છોડી શક્યા, તેમને અપીલ કરી છે કે તેઓ ટ્રેનથી ખારકીવથી નિકળે.
તેમણે જણાવ્યું કે, બુધવારની એડવાઇઝરી અનુસાર, મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓએ ખારકિવ છોડ્યૂં. તેઓ પાસના પેસોચિનમાં છે. તેમની અંદાજિત સંખ્યા 1000 છે. અરિંદમ બાગચીએ જણાવ્યું કે, શરૂઆતમાં 20 હજાર ભારત નાગરિકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક એવા પણ હતા જેમણે રજિસ્ટ્રેશન નહોતું કરાવ્યું. અમારુ અનુમાન છે કે કેટલાક 100 નાગરીક હજુ પણ ખારકીવમાં છે. અમારી પ્રાથમિકતા વિદ્યાર્થીઓને કોઇ પણ સંભવ રીતે સુરક્ષિત બહાર લાવવાની છે.
જણાવાય રહ્યું છે કે સુમીમાં કેટલાક ભારતીયો હોઇ શકે છે. અમે સંપર્કમાં છીએ અને તમામ રીતોના ઉપયોગ દ્વારા તેમને ત્યાંથી કાઢવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ત્યારે, યૂક્રેનમાં ભારતીયોને બંધક બનાવવાના આરોપ પર મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, અમને એવી ઘટનાઓની માહિતી નથી. વિદેશ સચિવે યૂક્રેનના ડેપ્યૂટી વિદેશ સચિવ સાથે વાત કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime