ઘણી વખત આપણે ફળોને ફ્રીજમાં મુકીએ છીએ. જેનાથી ફળોને નુકસાન ના થાય. પરંતુ ફળોને ફ્રિજમાં રાખવાથી તમને નુકસાન થાય છે. ફળો કેટલીય વખત ફ્રિજમાં રહેલી ઠંડક સહન કરી શકતા નથી અને તેના કારણે ફળોમાં રહેલા પોષક તત્વો નષ્ટ થઇ જાય છે.
ક્યારેય પણ આ ફળોને ફ્રીજમાં ના મુકતા
ફળોને ફ્રીજમાં રાખવાથી તેના પોષક તત્વો ઘટે છે
ફ્રીજની કૃત્રિમ ઠંડકથી ફળોને થાય છે નુકસાન
તરબુચ જેવા ફળોને ફ્રીજમાં રાખવાથી તેની અંદર રહેલુ એન્ટીઓક્સિડેન્ટ્સ ખરાબ થઇ જાય છે. જો ફળોને ફ્રીજમાં મુકવા હોય તો પણ થોડી વાર રાખો. વધુ સમય રાખશો નહીં.
નારંગી અને લીંબુ
સાઈટ્રીક એસિડવાળા ફળોને ફ્રીજમાં રાખવાથી તેના પોષક તત્વો ઘટી જાય છે. આ ફળોનો સ્વાદ પણ ખરાબ થઇ જાય છે.
કેરી
કેરીને ફ્રીજમાં રાખવાથી તેમાં રહેલુ એન્ટીઓક્સિડેન્ટ્સ ઘટી જાય છે. તેથી ભૂલથી પણ કેરીને ફ્રીજમાં રાખશો નહીં.
લીચી
લીચીને ફ્રીજમાં રાખવાથી તેની છાલ ફ્રેશ જોવા મળશે. પરંતુ તેની અંદરનુ ફળ બગડી જાય છે. ફ્રીજની કૃત્રિમ ઠંડકથી ફળને નુકસાન થાય છે.
સફરજન
સફરજન, આલુ અને ચેરી જેવા ફળો અને શાકભાજીને ફ્રીજમાં રાખવા જોઈએ નહીં. આ ફળોમાં સક્રિય એન્ઝાઈમ્સ વધારે હોય છે અને ફ્રીજમાં રાખવાથી આ ફળો વધુ પાકી જાય છે. જેને કારણે તરત બગડી જાય છે.
કેળાં
કેળાંની દાંડીમાંથી ઈથિલીન ગેસ નિકળે છે. જેના કારણે કેળાં ફ્રીજમાં રાખવાથી જલ્દી કાળા પડી જાય છે અને બગડી જાય છે.