બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / Mallikarjun Kharge on congress nyay sankalp relly compares booth agents with dogs
ADVERTISEMENT
કોંગ્રેસે દિલ્હીનાં રામલીલા મેદાનમાં આજે ન્યાય સંકલ્પ રેલીનું આયોજન કર્યું છે. આ રેલીમાં કોંગ્રેસનાં બૂથ લેવલનાં કાર્યકર્તાઓથી લઈને વરિષ્ઠ નેતા સામેલ થયાં છે. કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો.
जिस पार्टी का अध्यक्ष अपने संगठन की सबसे मज़बूत और महत्वपूर्ण कड़ी “बूथ एजेंट” को “कुत्ता” बनाकर उसका टेस्ट लेना चाहता है तो उस पार्टी की दुर्गति होनी तय ही है।
— Amit Malviya (@amitmalviya) February 3, 2024
शर्मनाक। pic.twitter.com/O7UdO0rJvl
ADVERTISEMENT
શ્વાન સાથે સરખામણી
કહ્યું કે "મોદીએ બધાનો સત્યાનાશ કરી દીધું છે. આ સાથે જ તેમણે કહ્યું કે જેમ કૂતરો ખરીદતા સમયે જોવામાં આવે છે કે તે બરાબર રીતે ભસે છે કે નહીં એવી જ રીતે ભસનારા કાર્યકર્તાઓને બૂથનું કામ સોંપવું જોઈએ"
ADVERTISEMENT
ખડગેએ કહ્યું કે સબકા સાથ સબકા વિકાસ તો માત્ર PM મોદીનો નારો છે પણ તેમણે બધાનો સત્યાનાશ કરી દીધો છે. ખડગેએ એવું પણ કહ્યું કે ભસનારા કાર્યકર્તાઓને બૂથનું કામ સોંપવું જોઈએ.
શરમજનક છે ખડગેનું આ નિવેદન- અમિત માલવીય
આ મામલામાં ભાજપનાં IT સેલનાં પ્રભારી અમિત માલવીયએ ખડગેનાં નિવેદનની નિંદા કરતાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. તેમણે વીડિયો એડ કરતાં લખ્યું કે," જે પાર્ટીનાં અધ્યક્ષ પોતાના સંગઠનની સૌથી મજબૂત અને મહત્વપૂર્ણ કડી 'બૂથ એજન્ટ'ને શ્વાન બનાવીને તેનો ટેસ્ટ લેવા ઈચ્છે છે તેની પાર્ટીની દુર્ગતી થવું નિશ્ચિત છે."
ADVERTISEMENT

"પલટૂ રામથી પલટૂ કુમાર"
ખડગેએ બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમાર પર નિશાન સાધતાં કહ્યું કે," બિહારમાં પણ એવું જ થયું છે...પહેલા બંને એકબીજાની નિંદા કરતાં હતાં, તેઓ સમાજવાદની વાતો કરતાં હતાં પણ તેમણે પલટી મારી દીધી છે. હવે તે પલટૂ રામથી પલટૂ કુમાર થઈ ગયાં છે અને PM મોદીની પણ આ જ આદત છે. તેઓ વાત નથી કરતાં પણ અંદરથી વાર કરે છે. તેઓ મુખ પર રામ અને બગલમાં છુરો લઈને ચાલે છે."
ADVERTISEMENT
વધુ વાંચો: ભારત રત્ન એલાન બાદ લાલકૃષ્ણ અડવાણીની પ્રથમ પ્રતિક્રિયા, ક્ષમતાની વાત પર ચોમેર ચર્ચા
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.