બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / Lal Krishna Advani after recieving Bharat ratna said This also honours my ideals and principles

ગૌરવ / ભારત રત્ન એલાન બાદ લાલકૃષ્ણ અડવાણીની પ્રથમ પ્રતિક્રિયા, ક્ષમતાની વાત પર ચોમેર ચર્ચા

Vaidehi

Last Updated: 04:49 PM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ પ્રધાનમંત્રી લાલ કૃષ્ણ અડવાણીએ પોતાને ભારત રત્ન મળવા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે," આ એ આદર્શો અને સિદ્ધાંતોનું પણ સમ્માન છે જેનું પાલન કરવાનો મેં પ્રયાસ કર્યો છે."

  • ભારત રત્ન મળ્યા બાદ લાલકૃષ્ણ અડવાણીએ આપી પ્રતિક્રિયા
  • કહ્યું આ મારા આદર્શઓ અને સિદ્ધાંતોનું પણ સમ્માન છે
  • રામમંદિર નિર્માણમાં ભજવી હતી ઘણી મોટી ભૂમિકા

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપનાં વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાનું એલાન કર્યું. જેના પર ભારતનાં પૂર્વ ઉપ પ્રધાનમંત્રી અડવાણીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ ન માત્ર એક વ્યક્તિનાં રૂપે મારું સમ્માન છે પણ એ આદર્શો અને સિદ્ધાંતોનું પણ સમ્માન છે જેનું પાલન કરવાનો મેં પ્રયાસ કર્યો.

ભારત રત્નનો કર્યો સ્વીકાર
તેમણે પોતાના નિવેદનમાં લખ્યું કે- અત્યંત વિનમ્રતા અને કૃતજ્ઞતાની સાથે હું ભારત-રત્નનો સ્વીકાર કરું છું.  આ ન માત્ર  એક વ્યક્તિનાં રૂપે મારું સમ્માન છે પણ એ આદર્શો અને સિદ્ધાંતોનું પણ સમ્માન છે જેનું પાલન કરવાનો મેં પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે જ્યારથી હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં તેના સ્વયંસેવકનાં રૂપમાં સામેલ થયો છું ત્યારથી જીવનમાં મને જે પણ કાર્ય સોંપવામાં આવ્યું છે મેં તેને નિસ્વાર્થ ભાવે કર્યું છે."

અયોધ્યા રામ મંદિર આંદોલનના સક્રિય નેતા રહી ચૂક્યા છે લાલકૃષ્ણ અડવાણી
ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી અયોધ્યા રામ મંદિર આંદોલનના સક્રિય નેતા રહી ચૂક્યા છે. પાકિસ્તાનમાં જન્મેલ લાલકૃષ્ણ અડવાણી રામ મંદિર આંદોલનના મુખ્ય નેતા હતા અને આજે અયોધ્યાના રામ મંદિરમાં રામલલા બિરાજમાન થઈ ગયા છે. હાલ દેશ અને દુનિયામાં નરેન્દ્ર મોદીની એક શક્તિશાળી વડાપ્રધાન તરીકેની છબી છે અને તેને ઘડવા પાછળ લાલકૃષ્ણ અડવાણીનો મોટો ફાળો છે. આ જ અડવાણીનો રામમંદિર આંદોલન સર્જવામાં મોટો ફાળો રહ્યો છે. 

ગુજરાતના સોમનાથથી ઉત્તર પ્રદેશના અયોધ્યા સુધીની રથયાત્રા
1990માં એવો સમય આવ્યો જ્યારે વીપી સિંહ સરકારે સરકારી શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં પછાત વર્ગોને અનામત આપવા માટે મંડલ કમિશનના અહેવાલને લાગુ કરવાની જાહેરાત કરી. એ બાદ RSSએ 26 ઓગસ્ટ, 1990ના રોજ બેઠક બોલાવી હતી. બેઠકમાં અયોધ્યા આંદોલનને વેગ આપવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આરએસએસનું માનવું હતું કે અયોધ્યામાં ભગવાન રામના મંદિરના નિર્માણ માટેનું આંદોલન હિંદુ સમાજને એક રાખશે. બીજી તરફ અડવાણીના નેતૃત્વમાં ભાજપ પણ હિંદુ એકતાના પ્રયાસોમાં સહયોગ આપવા આતુર હતું અને અડવાણીએ ગુજરાતના સોમનાથથી ઉત્તર પ્રદેશના અયોધ્યા સુધીની રથયાત્રાની જાહેરાત કરી હતી.

વધુ વાંચો: સોમનાથથી નીકળ્યા અને દેશમાં ઊભી કરી રામલહેર: લાલકૃષ્ણ અડવાણીની યાત્રાએ રાજકારણમાં લાવી દીધો હતો ભૂકંપ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ