બ્રેકિંગ ન્યુઝ
બારડોલીના નાદીદા પાસેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો
અફ્ઘાનિસ્તાનમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા
ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ચારધામની યાત્રામાં સેંકડો શ્રદ્ધાળુઓ ફસાયા
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત પર એક મેચનો પ્રતિબંધ
લોકસભા ચૂંટણી 2024: અરવિંદ કેજરીવાલે બીજેપી પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ- અમારી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ
સૌરાષ્ટ્ર-કચ્છમાં ફૂંકાશે ભારે પવન, ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી
ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના આરોપો પર જયેશ રાદડિયાનો જવાબ, હું ભાજપના બે હોદ્દા પર નથી
ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના જયેશ રાદડિયા પર ગંભીર આરોપ, પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ કામ કર્યું તેને હોદ્દા પરથી દૂર કરો
લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર ફરી મતદાન શરૂ, બુથ કેપ્ચરીંગની ઘટનાં બાદ ચૂંટણી પંચે આપ્યો હતો આદેશ
ઉમેદવારો મોટા સમાચાર, લોકરક્ષક અને PSI ભરતી મામલે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી કરી શકાશે અરજી
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહનો પલટવાર
Last Updated: 12:35 PM, 28 April 2024
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીના બીજા તબક્કા બાદ હવે ત્રીજા તબક્કાના મતદાનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ભાજપે જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. તો બીજી તરફ પક્ષ-વિપક્ષ એકબીજા પર આકારા પ્રહારો કરી રહ્યાં છે. હાલ પરસોત્તમ રૂપાલાનો વિવાદ વચ્ચે હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ પણ રાજા-મહારાજાઓને લઈ એક વિવાદિત નિવેદન આપ્યું છે. જેને લઈ હવે સી આર પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા તો શક્તિસિંહ ગોહિલે પણ આ અંગે નિવેદન આપ્યું છે.
રાહુલ ગાંધીના નિવેદન અંગે સી આર પાટીલે પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસની મથરાવટી મેલી છે. રાજા મહારાજાઓ અંગે ટીપ્પણી કરીને કોંગ્રેસે તેમની માનસિકતા ઉજાગર કરી છે. આ સાથે તેમણે કહ્યું કે, રાજા મહારાજાઓને કોંગ્રેસના શાસનમાં જે અનુભવો થયા છે તેનાથી તેઓ કોંગ્રેસથી દૂર થયા છે. પાટીલે ઉમેર્યું કે, કોંગ્રેસ દેશની સંપતિ લઘુમતીઓને વેચી દેવાની વાતો કરે છે, ભાજપ આવા કરતૂતોને નહીં ચલાવે. આ સાથે તમને પ્રહાર કરતાં કહ્યું કે, રાજાઓની સંપતિ લઈ લેવાનું કામ કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે.
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 28, 2024
રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા#LokSabhaElection #loksabhachunav2024 #RahulGandhi #BJP4IND #Congress #BJPGujarat #crpaatil #gujaratcongress #reels #gujaratinews #vtvgujarati pic.twitter.com/9ApKX8qCF2
રાહુલ ગાંધીની વિવાદિત ટિપ્પણી મામલે શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના નિવેદનને લઈ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના આક્ષેપ અંગે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ પલટવાર કર્યો છે. ગોહિલે કહ્યું કે, ભાજપે રાજપૂતોમાં ભાગલા પડાવ્યા, દિકરીઓનું અપમાન કર્યું. આ સાથે તેમણે કહ્યું કે, અહંકાર કર્યો જેમાં મહત્વનો રોલ ભાજપ અધ્યક્ષનો રહ્યો. આ એજ કોંગ્રેસ પાર્ટી છે જે એકતા કરવાનું કામ કર્યું છે. આ સાથે તેમણે કહ્યું કે, દેશને લૂંટવવાળાઓનો રાજા-રજવાડાઓ સાથે અનેરો સબંધ હતો તેવું વડાપ્રધાને સંસદમાં કહ્યું હતું, જે વિડીયો મારી પાસે છે.
સી.આર.પાટીલના નિવેદનને લઇને કોગ્રેસ પ્રદેશ પ્રમુખનું નિવેદન I VTV GUJARATI#crpaatil #shaktisinhgohil #loksabhaelection2024 #bjpgujarat #gujarat #gujaratinews #gujaratcongress #congress #rahulgandhi #vtvgujarati pic.twitter.com/yXXOha26OH
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 28, 2024
શક્તિસિંહ ગોહિલે કહ્યું કે , દેશની આઝાદી માટે મહાત્મા ગાંધીએ લડત લડી હતી. 1857નો બળવો જોવા જઈએ તો અનેક મહારાજા જેલમાં ગયા હતા. ગોહિલે કહ્યું કે, રાજા મહારાજા અંગે ભાજપ ખુલાસો કરે, રાજા મહારાજા એક જ્ઞાતિના નહોતા, રાજા મહારાજા અનેક જ્ઞાતિના રજવાડાઓ હતા, ભીલ અને આદિવાસી જ્ઞાતિના હતા. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ રાજનીતિ કરવા નીકળી છે. ભાજપના ઉમેદવારે સમગ્ર દેશમાં મા-દિકરીઓનું અપમાન કર્યું છે તેથી દરેક જ્ઞાતીના લોકોમાં રોષ છે. તેમણે કહ્યુ કે, રાહુલ ગાંધી પર ખોટી વાતો અને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે, ભાજપ વિરુદ્ધ આક્રોશ ફેલાયો છે જેથી ભાજપ ખોટી અફવાઓ અને ભ્રમ ફેલાવવાનું કામ ન કરે.
કૉંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા કે રાજા મહારાજ ઓ એ દેશ ને રજવાડા અર્પણ કર્યા.. જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસ ની સરકારો એ ઉઠાવ્યું અને લૂંટ્યું.
— Harsh Sanghavi (Modi ka Parivar) (@sanghaviharsh) April 27, 2024
कांग्रेस के युवराज यह भूल गए की राजा महाराजाओं ने तो देश को अपनी रियासतें देश को अर्पण की थी....
मनमरजी से देश मे लुंट तो कोंग्रेस की सरकार… pic.twitter.com/so1yVDVpd8
શું કહ્યુ હતું હર્ષ સંઘવીએ ?
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાહુલ ગાંધી પર નિશાન તાકતાં એક વીડિયો ટ્વીટ કરી લખ્યું છે કે, ''કૉંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા કે રાજા મહારાજ ઓ એ દેશ ને રજવાડા અર્પણ કર્યા.. જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસ ની સરકારો એ ઉઠાવ્યું અને લૂંટ્યું''. અત્રે જણાવીએ કે જે વીડિયોમાં રાહુલ ગાંધી રાજા-રજવાડા વિશે બોલી રહ્યા છે. જેમાં રાહુલ ગાંધી કહી રહ્યાં છે કે, રાજા-મહારાજાઓ જમીનો હડપી લેતા હતા. જો કે, અત્યારે આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / ગુજરાતના આ વિસ્તારમાં લોકોને ફરી મળશે મત આપવાની તક, 11 મેએ ફરી થશે મતદાન
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / ગુજરાતના આ વિસ્તારમાં લોકોને ફરી મળશે મત આપવાની તક, 11 મેએ ફરી થશે મતદાન
ADVERTISEMENT