બ્રેકિંગ ન્યુઝ
બારડોલીના નાદીદા પાસેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો
અફ્ઘાનિસ્તાનમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા
ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ચારધામની યાત્રામાં સેંકડો શ્રદ્ધાળુઓ ફસાયા
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત પર એક મેચનો પ્રતિબંધ
લોકસભા ચૂંટણી 2024: અરવિંદ કેજરીવાલે બીજેપી પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ- અમારી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ
સૌરાષ્ટ્ર-કચ્છમાં ફૂંકાશે ભારે પવન, ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી
ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના આરોપો પર જયેશ રાદડિયાનો જવાબ, હું ભાજપના બે હોદ્દા પર નથી
ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના જયેશ રાદડિયા પર ગંભીર આરોપ, પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ કામ કર્યું તેને હોદ્દા પરથી દૂર કરો
લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર ફરી મતદાન શરૂ, બુથ કેપ્ચરીંગની ઘટનાં બાદ ચૂંટણી પંચે આપ્યો હતો આદેશ
ઉમેદવારો મોટા સમાચાર, લોકરક્ષક અને PSI ભરતી મામલે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી કરી શકાશે અરજી
VTV / ગુજરાત / અમદાવાદ / અમદાવાદમાં મતદાન જાગૃતિ માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો, રિવરફ્રન્ટ ખાતે યોજાયો ડ્રોન શો
Last Updated: 11:07 AM, 28 April 2024
અમદાવાદ: દેશભરમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. દેશભરમાં લોકસભાની ચૂંટણી માટે સાત તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે, જેમાંથી બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે અને હવે ત્રજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થવા જઈ રહ્યું છે. ગુજરાતમાં પણ 7 મેના રોજ મતદાન થવાનું ત્યારે દેશના ચૂંટણી પંચ લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને લોકો મતદાન કરવા બહાર આવે એ માટે અભિયાન ચાલી રહી છે.
લોકસભા સામાન્ય ચૂંટણી - 2024 અંતગર્ત અમદાવાદ શહેર અને જિલ્લામાં 7 મી મેના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં વધુને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી તંત્ર અને ખાનગી સંસ્થા દ્વારા સાથે મળી અમદાવાદના રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ગ્રાઉન્ડ ખાતે મતદાન જાગૃતિ માટે ડ્રોન શો તેમજ મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
શનિવારે રાતે રિવર ફ્રન્ટ ખાતે ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ડ્રોન શોમાં 100 જેટલા ડ્રોન થકી મતદાન જાગૃતિને લઈને વિવિધ મેસેજ આપવામાં આવ્યા હતા. આ સાથે જ મ્યુઝિકલ નાઈટ તેમજ કાવ્યપઠનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સિંગર દ્વારા મ્યુઝિકલ પરફોર્મન્સ સાથે મતદાન જાગૃતિનો મેસેજ આપવામાં આવ્યો હતો.
વધુ વાંચો: જામકંડોરણામાં શાહનો હુંકાર, વિપક્ષો લીધા આડેહાથ
કવિ અને કવિયત્રીઓએ પણ મતદાન જાગૃતિનો મેસેજ આપતી કવિતાઓ રજૂ કરી મતદાનનો સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત અમદાવાદની ફૂટબોલ ટીમ અમદાવાદ એવેંજરસના ખેલાડીઓએ પણ લોકોને વધુમાં વધું મતદાન કરે એ માટે મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો હતો. અગાઉ પણ ચૂંટણી પંચ અને અન્ય સંસ્થાઓ દ્વારા મતદાન જાગૃતિ માટે અનેક પ્રકારના અભિયાન કરવામાં આવ્યા છે. દેશના દિગ્ગજો પણ લોકોને વધુને વધુ મતદાન કરવા અપીલ કરી રહ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / ગુજરાતના આ વિસ્તારમાં લોકોને ફરી મળશે મત આપવાની તક, 11 મેએ ફરી થશે મતદાન
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / ગુજરાતના આ વિસ્તારમાં લોકોને ફરી મળશે મત આપવાની તક, 11 મેએ ફરી થશે મતદાન
ADVERTISEMENT