મહારાષ્ટ્રમાં 15 જુલાઈથી સ્કૂલો શરુ કરવાની જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે કરી દીધી છે.
મહારાષ્ટ્રમાં 15 જુલાઈથી સ્કૂલો શરુ થશે
રાજ્યના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે કરી જાહેરાત
ગુજરાતમાં શાળાઓ ખોલવાનો નિર્ણય ટૂંક સમયમાં લેવાશે.
દેશમાં કોરોના વાયરસની બીજી લહેર હવે નબળી પડી રહી છે. કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર રાજ્યએ શિક્ષણને લઇને મહત્વની જાહેરાત કરી છે.
જોકે મહારાષ્ટ્ર સરકારે પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને માત્ર ગ્રામીણ વિસ્તારોમાં જ શાળાઓ ખોલવાનો નિર્ણય લીધો છે અને એ પણ એવા ગ્રામ્ય વિસ્તારો જ્યાં કોરોના સંક્રમણની કેસ નહિવત હોય. જોકે ગામડાઓ દ્વારા કોરોના સામે લડવાની તૈયારીઓ હેઠળ જ ગામની શાળા ખોલવાનો નિર્ણય લેવામાં આવશે. રાજ્યના ગામડાઓમાં શાળા ખોલવા માટે વિદ્યાર્થીઓના માતા-પિતાની સંમતિ પણ લેવામાં આવશે અને આ માટે ખાસ SOP તેયાર કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં શાળાઓ ખોલવાનો નિર્ણય ટૂંક સમયમાં થશે
ગુજરાતમાં હજુ સુધી સ્કૂલો ખોલવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. ગુજરાતમાં કોરોના સંક્રમણ અને કેસ ઘટતા હવે શાળા કોલેજો ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાઈ શકે છે ટૂંક સમયમાં જ શાળા કોલેજો ખોલવા માટે નિર્ણય લેવાઈ શકે છે. કોરોના કાળમાં ધોરણ 10માં માસ પ્રમોશન અપાતા કેટલાક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય તેવો ડર વિદ્યાર્થીઓના વાલિઓને સતાવી રહ્યો છે કેમ કે માસ પ્રમોશન મળતા હવે શાળામાં વધુ વર્ગો શરૂ કરવાની નોબત આવી છે ત્યારે વાલીઓની ચિંતાને લઈ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે એક પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત રહેશે નહીં તેમજ કોઈ વિદ્યાર્થીઓએ ચિંતા કરવાની જરૂર નથી.
ભારતમાં 111 દિવસના સૌથી ઓછા કોરોનાના નવા કેસ નોંધાયા, મૃત્યુઆંક ઘટીને 550ની નજીક
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો ચેપ હવે ઓછો થવા લાગ્યો છે અને રાજ્યની ઠાકરે સરકારે શાળાઓ ખુલ્લી કરવાનો મહત્વનો નિર્ણય આપ્યો છે. મહારાષ્ટ્ર સરકારમાં શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે આ અંગે જણાવ્યું છે કે, જુલાઇની 15મી તારીખથી રાજ્યભરમાં શાળાઓ ખુલ્લી કરવામાં આવશે. આ દરમિયાન માત્ર ધોરણ 8થી12 ના વિદ્યાર્થીઓને જ શાળામાં આવવાની મંજૂરી આપવામાં આવી છે. આ અંગે મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રીએ સ્પષ્ટતા પણ કરી હતી કે, શાળાઓ માત્ર રાજ્યના એવા ગ્રામીણ વિસ્તારોમાં જ ખોલવામાં આવશે જ્યાં કોરોના સંક્રમણના કેસ નથી. આ સિવાય શહેરની શાળાઓ આગળના નિર્ણય મુજબ બંધ રહેશે.
મહારાષ્ટ્રના શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડના જણાવ્યા અનુસાર, ગત આખુ વર્ષ બાળકો માટે મુશ્કેલ રહ્યું હતું. શાળામાં ઘણી એવી બાબતો છે જે નવેસરથી શરુ કરશે. તેમણે એમ પણ કહ્યું કે હાલમાં ત્રીજી લહેરની વાત કરવામાં આવી રહી છે જેમાં સૌથી વધુ બાળકો પ્રભાવિત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કોરોના ડેલ્ટા પ્લસ વાયરસને ધ્યાનમાં રાખીને સરકાર કામ કરી રહી છે.