બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
VTV / maharashtra maratha protest conversation manoj jarange beed violence 49 arrest
Dinesh
Last Updated: 02:58 PM, 31 October 2023
VIDEO | People join ongoing agitation for Maratha reservation in Pune, Maharashtra.
— Press Trust of India (@PTI_News) October 31, 2023
(Video available on PTI Videos - https://t.co/I9vefbKETG) pic.twitter.com/BNsj8zT9Vo
મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માંગને લઈને શરૂ થયેલું આંદોલન ઉગ્ર અને હિંસક બની રહ્યું છે. રાજ્યના મરાઠવાડા ક્ષેત્રના 8 જિલ્લાઓમાં આ આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તેમજ આ સિવાય પુણે અને અહમદનગરમાં પણ આંદોલનના જોરદાર ભણકારા છે. અનેક વિસ્તારોમાં આગચંપીના ગંભીર બનાવો બન્યા છે. બીડ અને માજલગાંવ બાદ મંગળવારે જાલનાની પંચાયત ઓફિસમાં આગ લગાવવાની ઘટના સામે આવી છે. અત્રે જણાવીએ કે, આ પહેલા સોમવારે મોડી રાત્રે ઉમરગા શહેર નજીક તુરોરી ગામમાં પણ આગચંપી થઈ હતી. પ્રદર્શનકારીઓએ તુરોરીમાં કર્ણાટક ડેપોની બસને પણ આગ ચાંપી દીધી હતી.
VIDEO | People join ongoing agitation for Maratha reservation in Pune, Maharashtra.
— Press Trust of India (@PTI_News) October 31, 2023
(Video available on PTI Videos - https://t.co/I9vefbKETG) pic.twitter.com/BNsj8zT9Vo
વિશેષ સત્ર બોલાવવા પર વિચાર ..!
આ આંદોલનથી સૌથી વધુ અસરગ્રસ્ત બીડ શહેર છે જે બાદ પ્રશાસને ઉસ્માનાબાદમાં પણ કર્ફ્યુ લગાવી દીધો છે. બીડમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. જાલના શહેરમાં પણ છેલ્લા 12 કલાકમાં ત્રણ લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. છેલ્લા 13 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. પાપ્ત સૂત્રો મુજબ શિંદે સરકાર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા પર વિચાર કરી રહી છે. જે માટે કેબિનેટની બેઠક મળી શકે છે. જેમાં મરાઠાઓને અનામત આપવા માટે વટહુકમ લાવી શકે છે.
મરાઠા આંદોલન મામલે મહત્વના અપડેટ
આંદોલનના નેતા મનોજ જરાંગેએ કહ્યું કે તેઓ અડધું જ નહીં પણ સંપૂર્ણ અનામત લેશે. ગમે તેટલી તાકાત તેમને રોકી શકશે નહી અને મહારાષ્ટ્રના મરાઠાઓ અટકશે નહીં. જ્યાં સુધી અનામત ન મળે ત્યાં સુધી ધારાસભ્યો અને સાંસદોએ મુંબઈમાં જ રહેવું જોઈએ. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે સવારે 11 વાગ્યે રાજભવન ખાતે રાજ્યપાલ રમેશ બૈસ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી એકનાથ શિંદે સોમવારે રાત્રે રાજભવન ગયા હતા અને રાજ્યપાલને મળ્યા હતા. બીડના કલેક્ટર દીપા મુધોલ-મુંડેએ જણાવ્યું હતું કે સોમવારે મોડી રાત્રે સ્થિતિ સારી ન હોતી, પરંતુ હવે સ્થિતિ નિયંત્રણમાં છે. તમામ દુકાનો અને બજારો બંધ છે. ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે મુંબઈમાં કહ્યું કે, મરાઠા આરક્ષણ પર હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. અમે તમારી સાથે છીએ. જો જરૂર હોય તો સંસદનું વિશેષ સત્ર બોલાવો.
#WATCH महाराष्ट्र: मराठा आरक्षण के आंदोलनकारियों ने आज शाम बीड शहर में NCP कार्यालय में आग लगा दी। बाद में उन्होंने NCP विधायक संदीप क्षीरसागर और राज्य के पूर्व मंत्री जय क्षीरसागर के आवासों में भी आग लगा दी। अधिक जानकारी की प्रतीक्षा है। pic.twitter.com/5at1XKxJQK
— ANI_HindiNews (@AHindinews) October 30, 2023
અનેક જગ્યાએ આગચંપીની ઘટના
રાજ્ય સરકારના પૂર્વ મંત્રી જયદત્તજી ક્ષીરસાગરની ઓફિસમાં આગ લગાવવાની ઘટના સામે આવી છે. આ પહેલા ધારાસભ્ય સંદીપ ક્ષીરસાગરના ઘરે મરાઠા આંદોલનકારીઓએ ધૂસી જઈ પાંચથી છ ગાડીઓમાં આગ લગાવી દીધી હતી. તે પહેલા પ્રર્દશનકારીઓની ભીડએ જિલ્લાના માજગામમાં અજિત પવાર જૂથના એનસીપી ધારાસભ્ય પ્રકાશ સોલંકીના બંગલામાં આગ લગાવી હતી. આ દરમિયાન બંગલામાં પાર્ક કરેલા આઠથી 10 ટુ વ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા
49 લોકોની ધરપકડ
આંદોલન દરમિયાન થયેલી હિંસામાં પોલીસે 49 લોકોની ધરપકડ કરી છે. એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી હતી કે,. રાજકારણીઓની મિલકતોને નિશાન બનાવીને હિંસા અને આગચંપી કરવાની અનેક ઘટનાઓને પગલે સોમવારે સાંજે બીડ જિલ્લાના ભાગોમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. બીડના પોલીસ અધિક્ષક નંદકુમાર ઠાકુરે જણાવ્યું કે પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. તેમણે કહ્યું, હુલ્લડો અને જીવને જોખમમાં મૂકવાના કેસ નોંધવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 49 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. રાત્રિ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો ન હતો અને પરિસ્થિતિ કાબૂમાં છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો