બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરેન્દ્રનગરના લખતર APMC ચેરમેનની ચૂંટણી રદ, ચૂંટણી પ્રક્રિયામાં અનિયમિતતા બાદ નવી ચૂંટણીનો આદેશ
Last Updated: 10:37 AM, 26 June 2026
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર APMC ચેરમેનની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે. 18 જૂનના રોજ યોજાયેલી ચેરમેનની ચૂંટણીને ગાંધીનગરના ચૂંટણી નિયામકે સત્તાવાર રીતે રદ કરવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી પ્રક્રિયામાં અનિયમિતતા અને નિયમોના ભંગના મુદ્દા સામે આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે લખતર APMCમાં ચેરમેનની નવી ચૂંટણી યોજવામાં આવશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, પંચાયતના વિવાદાસ્પદ મત બદલાવવાના મુદ્દે અનેક ફરિયાદો કરવામાં આવી હતી. ચૂંટણી બાદ સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હતો, જ્યાં હારેલા ઉમેદવાર ખુશાલ પટેલે પુરાવા સાથે રજૂઆત કરી હતી. રજૂઆતમાં ચૂંટણી દરમિયાન નિયમોનું પાલન ન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ચૂંટણી દરમિયાન સરકારના પ્રતિનિધિ તરીકે ફરજ બજાવતા વિસ્તરણ અધિકારી ગેરહાજર રહ્યા હતા. આ મુદ્દો પણ સમગ્ર વિવાદનું મુખ્ય કારણ બન્યો હતો. ફરિયાદમાં જણાવાયું હતું કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જરૂરી સરકારી દેખરેખ ન હોવાને કારણે નિયમોનું યોગ્ય પાલન થયું નથી.
ADVERTISEMENT
આ ચૂંટણીમાં ભાજપના સત્તાવાર મેન્ડેટ સામે બળવો કરીને વિક્રમસિંહ રાણા ચેરમેન તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ ચૂંટણીના પરિણામને લઈને અનેક સવાલો ઉભા થયા હતા. હારેલા ઉમેદવાર ખુશાલ પટેલે ગાંધીનગરમાં તમામ પુરાવાઓ સાથે ચૂંટણી પ્રક્રિયાની તપાસ કરવાની માંગ કરી હતી.
ADVERTISEMENT
ગાંધીનગર ખાતે બંને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ ચૂંટણી નિયામકે સમગ્ર પ્રક્રિયાની સમીક્ષા કરી હતી. તપાસ દરમિયાન ચૂંટણી પ્રક્રિયામાં ખામી હોવાનું પ્રાથમિક રીતે માનવામાં આવ્યું હતું. તેના આધારે 18 જૂનની ચૂંટણી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી નિયામકે હવે તાત્કાલિક અસરથી નવી ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો છે. આગામી ચૂંટણીમાં તમામ નિયમોનું પાલન થાય અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે.
ADVERTISEMENT
આ સમગ્ર મામલે જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલિયાએ પણ વિસ્તરણ અધિકારીની શંકાસ્પદ ભૂમિકાની તપાસ કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અધિકારીની ગેરહાજરી અને અન્ય અનિયમિતતાઓની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ જેથી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી થઈ શકે. લખતર APMCની ચૂંટણી રદ થતાં હવે સમગ્ર જિલ્લાની રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. નવી ચૂંટણીમાં કોણ મેદાનમાં રહેશે અને શું પરિણામ આવશે તેના પર સૌની નજર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.