મુંબઈના મેયર કિશોરી પેડનેકરે મુંબઈમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ પાડવાની તથા કુંભમેળામાંથી પાછા આવતા લોકો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
મુંબઈના મેયર કિશોરી પેડનેકરનું નિવેદન
મુંબઈમાં સંપૂર્ણ લોકડાઉનની જરુર
95 ટકા મુંબઈગરાઓએ કોવિડ પ્રતિબંધોનું પાલન કરી રહ્યાં છે
5 ટકા લોકો પ્રતિબંધોનું પાલન કરતા નથી
કિશોરી પેડનકરે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધારે કેસો છે. મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. તેથી મુંબઈમાં સંપૂર્ણ લોકડાઉનની જરુર છે. 95 ટકા મુંબઈગરાઓએ કોવિડ પ્રતિબંધોનું પાલન કરી રહ્યાં છે જ્યારે બાકીના 5 ટકા લોકો પ્રતિબંધોનું પાલન કરતા નથી અને તેથી આ 5 ટકા લોકો બીજા માટે પરેશાની ઊભી કરી રહ્યાં છે મને લાગે છે કે હાલની પરિસ્થિતિને જોતા સંપૂર્ણ લોકડાઉન એકમાત્ર વિકલ્પ છે.
95% of Mumbaikars are adhering to COVID19 restrictions. The remaining 5% of people who are not following restrictions are causing problems to others. I think a complete lockdown should be imposed looking at the current COVID19 situation: BMC Mayor Kishori Pednekar#Mumbaipic.twitter.com/CtX56y9etI
કુંભમાંથી પાછા આવનાર લોકો પોતાના ખર્ચે આઈસોલેટ થાય
પેડનકેરે જણાવ્યું કે કુંભમાંથી પાછા આવનાર લોકોએ પોતાની જાતને આઈસોલેટ કરી લેવી જોઈએ. બીએમસી કુંભમાંથી પાછા આવનાર લોકો માટે ક્વોરન્ટાઈનની વ્યવસ્થા કરવાનું વિચારી રહી છે.
કુંભમાંથી પાછા આવનાર લોકો પ્રસાદ તરીકે કોરોના વહેંચશે
તેમણે કહ્યું કે કુંભમાંથી પોતપોતાના રાજ્યમાં પાછા આવનાર લોકો પ્રસાદ તરીકે કોરોના વહેંચશે. આ બધા લોકોએ પોતપોતાના ખર્ચે પોતાના રાજ્યોમાં આઈસોલેટ થવું જોઈએ. મુંબઈમાં પણ તેમને ક્વોરન્ટાઈન કરવાનું અમે વિચારી રહ્યાં છીએ.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ 63,729 નવા કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં સૌથી વધુ 63,729 નવા કેસ નોંધાયા છે અને ઉત્તરપ્રદેશમાં 27,360 નવા કેસ. દિલ્હીમાં 19,486 નવા કેસ નોંધાયા છે. જ્યારે છત્તીસગઢમાં 14,912 નવા કેસ અને કર્ણાટકમાં 14,859 નવા કેસ નોંધાયા છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. તો ગુજરાતમાં 8920 નવા કેસ નોંધાયા અને 94 દર્દીઓના મોત થયા છે.દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. રોજના આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં નવા 2,34,692 નવા કેસ નોંધાયા છે અને 1341 લોકોના મોત થયા છે. જ્યારે નવા 1,23,354 દર્દીઓ સાજા થયા છે. આમ, દેશમાં કુલ કેસ 1,45,26,609 પર પહોંચ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 1,26,71,220 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. હાલ 16,79,740 એક્ટિવ કેસ છે અને 1,75,649 દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. જ્યારે કુલ 11,99,37,641 વેક્સિનના ડોઝ અપાઇ ચૂક્યા છે.