નવરાત્રી સમયે અષ્ટમી અને નવમીનાં દિવસે પૂજા કરવાથી 9 દિવસોની પૂજાનું ફળ મળે છે. જાણો પૂજાવિધિ
મહાઅષ્ટમી અને મહાનવમીનું ખૂબ જ મહત્વ
આ દિવસે પૂજા કરવાથી મળે છે 9 દિવસનું ફળ
નવમી તિથી 4 ઓક્ટોબરનાં રોજ મનાવવામાં આવશે
શારદીય નવરાત્રીનો દરેક દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, જ્યારે અષ્ટમી અને નવમી તો વિશેષ હોય છે, એટલા માટે તેને મહાઅષ્ટમી અને મહાનવમી કહેવામાં આવે છે. માં દુર્ગાને પ્રસન્ન કરવા માટે આ દિવસ અત્યંત ખાસ હોય છે. આ દિવસોમાં કરવામાં આવેલા અમુક ખાસ કાર્યો અને ઉપાય માં અંબાની અપાર કૃપા અપાવે છે, જેથી બધાજ દુઃખ, ડર દૂર થાય છે અને સાથે જ જીવન ખુશહાલી, સમૃદ્ધિથી ભરાય જાય છે.
2 દિવસની ઉપાસનાથી મળશે નવરાત્રીનું ફળ
શારદીય નવરાત્રીની અષ્ટમી અને નવમીને એટલી મહત્વપૂર્વ માનવામાં આવે છે, કે આ દિવસોમાં ભક્તિ ભાવથી માં દુર્ગાની પૂજા-આરાધના કરવાથી 9 દિવસની પૂજા જેટલું ફળ મળે છે. આ પ્રકારે આખી નવરાત્રીમાં વ્રત-ઉપવાસ ના કરીએ તો આ દિવસોમાં વ્રત કરીને માં દુર્ગાની કૃપા મેળવી શકાય છે. આવો જાણીએ આ વર્ષે અષ્ટમી અને નવમી ક્યારે મનાવવામાં આવશે અને આ સમયે ક્યા ક્યા કાર્યો કરવાથી શુભ ફળ મળશે.
અષ્ટમી-નવમી પર કરો આ કામ
હિંદુ પંચાંગ અનુસાર, આ વર્ષે શારદીય નવરાત્રીની અષ્ટમી તિથી 3 ઓક્ટોબર અને નવમી તિથી 4 ઓક્ટોબર 2022નાં રોજ મનાવવામાં આવશે. નવમી તિથી 3 ઓક્ટોબરે સાંજે 4 કલાક 37 મિનીટથી પ્રારંભ થઈને 4 ઓક્ટોબરે બપોરે 2 કલાક 20 મિનીટ સુધી રહેશે. ઉદયાતિથી અનુસાર, નવરાત્રીની મહાનવમી 4 ઓક્ટોબર 2022નાં રોજ મનાવવામાં આવશે. આ દિવસે હવન - પૂજા માટે શુભ મુહુર્ત સવારે 6:21થી બપોરે 2:20 સુધી રહેશે. જ્યારે નવરાત્રી વ્રતનાં પારણનો સમય 4 ઓક્ટોબર 2022નાં રોજ બપોરે 2:20 સુધી રહેશે. અશ્વિન શુક્લની નવમીનાં રોજ અમુક ખાસ કાર્યો કરવા જોઈએ.
નવરાત્રી પૂજાનું ફળ ત્યારે જ મળે છે, જ્યારે આ દિવસે વિધિ-વિધાનથી હવન - પૂજન કરવામાં આવે. નવરાત્રીની નવમી પર હવનમાં દેવીનાં સહસ્ત્રનામોનો જાપ કરતા કરતા આહુતિ આપવી જોઈએ.
નવરાત્રીની પૂજા ત્યાર સુધી સમાપ્ત નથી થતી, જ્યાર સુધી કન્યા પૂજન ન કરવામાં આવે. મહાનવમીનાં દિવસે 9 કન્યાઓને સમ્માનપૂર્વક ભોજન કરાવો, તેમના ભોજન કરાવીને આશીર્વાદ લો અને ભેટ આપો. કન્યાઓ માં દુર્ગાનું જ સ્વરૂપ હોય છે.