દિવાળીના તહેવાર દરમિયાન અમુક ઉપાયો કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે અને સુખ - સમૃદ્ધિના આશિર્વાદ આપે છે.
દિવાળીનો તહેવાર થોડા જ દિવસોમાં આવી રહ્યો છે
આ તહેવાર દરમિયાન સવાર - સાંજ પૂજાનો નિયમ બનાવી લો
અમુક ઉપાયો કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે
દિવાળીનો તહેવાર થોડા જ દિવસોમાં આવી રહ્યો છે
દિવાળીનો તહેવાર શરૂ થવામાં માત્ર થોડા જ દિવસો બચ્યા છે. ધનતેરસ અને દિવાળી પર માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે લોકો તેમની પૂજા કરે છે અને ઘણા ઉપાયો પણ કરે છે. આવામાં આવો જાણીએ કે એવા કયા કયા કામ છે, જેનાંથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને કૃપા વરસાવે છે.
અમુક ઉપાયો કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે
બજારમાં સ્ફટિકનાં શ્રીયંત્ર મળે છે. એક ખરીદો અને આ વખતે દિવાળી પર પંચામૃત અને ગંગાજળથી સ્નાન કરીને ધૂપ નૈવેદ્ય ચઢાવો અને મા લક્ષ્મીના મંત્રનો જાપ કરો.
કમળની માળા ખરીદો અને તે જ માળાથી માં લક્ષ્મીનો જાપ કરો, જો તમને નિયમિત સમય નથી મળતો, જો તમે દર શુક્રવારે આ કરી શકો છો, તો લક્ષ્મી માતા તમારા પર પ્રસન્ન થશે.
આ દિવાળીમાં ઘરમાં દરરોજ સવાર-સાંજ ભગવાનની આરતીનો નિયમ બનાવી લો. જે ઘરોમાં સવાર - સાંજ ભગવાનની આરતી થાય છે, દીવો કરવામાં આવે છે, તેમના પર માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
જે ગાય માટે આદર ધરાવે છે અને ભોજન બનાવતી વખતે ભોગ બહાર કાઢે છે. ક્યારેક ગાય માટે લીલા ચારાની વ્યવસ્થા કરવામાં આવે ,તો ગાય દ્વારા માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
ઘરોમાં અનાજનો અનાદર ન કરવો જોઈએ. જેટલી ભૂખ અને ક્ષમતા હોય, એટલું જ બનાવો અને ખાઓ. જે ઘરોમાં અનાજનું સમ્માન નાથી થતું અને ભોજનનો બગાડ કરવામાં આવે છે, ત્યાં લક્ષ્મી ટકતી નથી.