બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / know these special rules before wearing rudraksha

માન્યતા / રુદ્રાક્ષ પહેરતા હોય તો 8 ખાસ નિયમ ગોખી લેજો, શિવજી આપશે ચમત્કારીક ફળ

Manisha Jogi

Last Updated: 06:16 PM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા કયા નિયમોનું પાલન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. શાસ્ત્ર અનુસાર હિંદુ ધર્મમાં રુદ્રાક્ષનું વિશેષ મહત્ત્વ છે.

આજના સમયમાં લગભગ તમામ વ્યક્તિ તમામ પ્રકારના દુ:ખમાંથી મુક્તિ મેળવવા માંગે છે. જો તમે રુદ્રાક્ષ પહેરવાનું વિચારી રહ્યા છો, તો તમારે રુદ્રાક્ષ પહેરવાના નિયમ વિશે જાણી લેવું જોઈએ. રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા કયા નિયમોનું પાલન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. શાસ્ત્ર અનુસાર હિંદુ ધર્મમાં રુદ્રાક્ષનું વિશેષ મહત્ત્વ છે. માનવામાં આવે છે કે, ભગવાન શિવને રુદ્રાક્ષ અતિ પ્રિયા હોય છે. આ કારણોસર જે વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કરે તેમના પર ભગવાન શિવની વિશેષ કૃપા રહે છે. 

ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શિવના આંસુમાંથી રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ હતી. આ કારમોસર રુદ્રાક્ષને હિંદુ ધર્મમાં ચમત્કારી અને અલૌકિક માનવામાં આવે છે. રુદ્રાક્ષ એકમુખીથી એકવીસ મુખીનો હોય છે અને તમામ રુદ્રાક્ષનું અલગ અલગ મહત્ત્વ હોય છે. જે વ્યક્તિ નિયમ અને વિધિ અનુસાર રુદ્રાક્ષ ધારણ કરે તેને તમામ સંકટમાંથી છુટકારો મળે છે. કુંડળીમાં ગ્રહની સ્થિતિ પણ યોગ્ય રહે છે. 

પૌરાણિક કથા અનુસાર સતી માતાએ અગ્નિમાં પ્રવેશ કરીને દેહત્યાગ કર્યો હતો ત્યારે ભગવાન શિવ રડી પડ્યા હતા અને પૃથ્વી પર અનેક જગ્યાએ તેમના આંસુ સરી પડ્યા હતા. જેથી પ્રકૃતિને આ આંસુ રુદ્રાક્ષ તરીકે પ્રાપ્ત થયા હતા. માનવામાં આવે છે કે. નિયમ અનુસાર રુદ્રાક્ષ પહેરવાથી તમામ દુ:ખ દૂર થાય છે અને ભગવાન શિવની વિશેષ કૃપા રહે છે. 

રુદ્રાક્ષ પહેરવાના નિયમ

  • જો કોઈ વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કરે તો તેણે સૌથી પહેલા રુદ્રાક્ષ મંત્ર અને રુદ્રાક્ષ મૂળ મંત્રનો 9 વાર જાપ કરવો જોઈએ. એકવાર રુદ્રાક્ષ કાઢ્યા પછી તેને પવિત્ર સ્થાન પર રાખવો જોઈએ. 
  • હિંદુ ધર્મમાં રુદ્રાક્ષને તુલસીની માળાની જેમ પવિત્ર માનવામાં આવે છે. આ કારણોસર રુદ્રાક્ષ ધારણ કર્યા પછી માંસ મદિરાનું સેવન ના કરવું. 
  • રુદ્રાક્ષ ક્યારેય પણ સ્મશાનમાં ના લઈ જવો. નવજાતના જન્મ દરમિયાન અથવા જ્યાં નવજાતનો જન્મ થયો હોય ત્યાં રુદ્રાક્ષ ના લઈ જવો. 
  • સ્નાન કર્યા વગર રુદ્રાક્ષને અડવું નહીં અને રુદ્રાક્ષ શુદ્ધ કર્યા પછી જ પહેરવો. રુદ્રાક્ષ ધારણ કરવા દરમિયાન ‘ऊँ नम: शिवाय’મંત્રનો જાપ કરવો. 
  • રુદ્રાક્ષ હંમેશા લાલ અથવા પીળા રંગના દોરામાં પહેરવો તે શુભ માનવામાં આવે છે. રુદ્રાક્ષ ક્યારેય પણ કાળા દોરામાં ના પહેરવો જોઈએ, નહીંતર તેની અશુભ અસર થાય છે. 
  • રુદ્રાક્ષ પહેર્યા પછી તે અન્ય વ્યક્તિને ના આપવી અને અન્ય લોકોની રુદ્રાક્ષની માળા ના પહેરવી. 
  • રુદ્રાક્ષ હંમેશા સાફ રાખવો, રુદ્રાક્ષના છિદ્રમાં ધૂળ અને ગંદકી જામી શકે છે. 
  • રુદ્રાક્ષનો દોરો ખરાબ થઈ જાય તો તે દોરો બદલી દેવો અને સફાઈ કર્યા પછી રુદ્રાક્ષ ગંગાજળથી સાફ કરી દેવો

વધુ વાંચો: આજે વિજયા એકાદશી: આ વસ્તુઓનું દાન અપાવશે પ્રચંડ લાભ, નોટ કરી લો લિસ્ટ

આ મંત્રજાપ કરવો
રુદ્રાક્ષ પહેરતા પહેલા શુદ્ધ અને પવિત્ર કરવો જરૂરી છે. સોમવાર, મહાશિવરાત્રી અથવા શ્રાવણ મહિનાના કોઈપણ દિવસે રુદ્રાક્ષ ધારણ કરી શકાય છે. ચાંદી અથવા તાંબાની વાટકીમાં દૂધ, દહીં, મધ, ઘી તથા સાકર લો. આ મિશ્રણમાં રુદ્રાક્ષ સ્વચ્છ કરી દો. સ્નાન કર્યા પછી રુદ્રાક્ષ શુદ્ધ જળ તથા ગંગાજળથી સ્વચ્છ કરીને લાલ કપડાં પર મુકી દો. હવે ગાયના ઘીનો દીવો કરીને ।। ॐ नमः शिवाय, या ॐ हूं नमः ।। મંત્રનો 501 અથવા 1,100 વાર જાપ કરો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ