બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / kheda fortunes of 6 people of the same family rose After the accident
Kishor
Last Updated: 05:23 PM, 12 August 2023
અમદાવાદ જિલ્લાના બગોદર બાવળા હાઇવે પર ગઈકાલે અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી હતી. બંધ ટ્રક પાછળ છોટાહાથી ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એકી સાથે 12-12 લોકોના મૃત્યુ નીપજતા માર્ગ મરણચીસોથી ગુંજયો હતો.જેમાં એક જ પરિવારના 6 લોકો હતા. અકસ્માતમાં મોતને ભેટનાર ઝાલા પરિવારના હતભાગીઓ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના સુણદા ગામના વતની હતા.કુટુંબને કાળ ભરખી ગયા બાદ જાણે કોઈ આંસુ લુછનારું ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.
મધરાતે જ અંતિમવિધિ કરાતા રોક્કડ
જ્યારે અન્ય આજુ બાજુના વતની છે. અકસ્માત બાદ પોલીસે મૃતદેહનો કબજો સંભાળ્યો હતો. જેની જરૂરી કાર્યવાહી બાદ પરિવારજનોને સોંપતા મૃતદેહોને ગામમાં લાવવામાં આવ્યા હતા. ગામમાં મૃતદેહોના ખડકલાને લઈને હૈયું ચરાઈ જાય તેવા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. મધરાતે જ અંતિમવિધિ કરાતા રોકકળાટ ફેલાયો હતો.
ગામમાં કોઈએ ચૂલો ન સળગાવ્યો
કપડવંજ તાલુકાના સુણદા ગામના પ્રવેશ કરવાના રસ્તે જ પીએસી સેન્ટર પાસે રામદેવપીર મંદિર નજીક રહેતા ઝાલા પરિવારના 6 વ્યક્તિઓને કાળ ભેટી ગયા બાદ નાના એવા ગામમાં કાળો કલ્પાત ફેલાયો હતો. આખું ગામ હિબકે ચડતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા અને લગભગ 3200 જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં કોઈએ ચૂલો ન સળગાવી દુઃખમાં ભાગીદાર બન્યા હતા.
3 હજાર જેટલા લોકો અંતિમયાત્રામાં જોડાયા
પોલીસની જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહોને ગામમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં પરિવારજનો દ્વારા રાત્રે જ તેની અંતિમવિધિ કરવામાં આવી હતી. જેમાં એકી સાથે છ લોકોની અર્થી ઉઠતા ગામના લોકોએ ભારે હૈયે કાંધ આપી અગ્નિસંસ્કાર કર્યા હતા. 3 હજાર જેટલા લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા. જેને લઈને સમગ્ર ગામમાં ગમગીની છવાઈ હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા