બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / kendra trikon rajyog 2023 in kumbh rashi these zodiac sign will get benefit in every aspect

સારા સંકેતો / શનિની રાશિમાં બન્યો અત્યંત શુભદાયક કેન્દ્ર ત્રિકોણ રાજયોગ, આ 3 રાશિઓના જાતકોનો કિસ્મતનો દરવાજો ઉઘડ્યો

Kishor

Last Updated: 10:09 AM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર હાલના સમયે કુંભ, વૃષભ અને સિંહ રાશિના જાતકો માટે ખૂબ સારો સમય આવી શકે છે.

  • કુંભ, વૃષભ અને સિંહ રાશિના જાતકોનો આવશે સારો સમય
  • દરેક ક્ષેત્રમાં સફળતા દ્વાર ખટખટાવશે
  • બૌદ્ધિક ક્ષમતામાં પણ વધારો થશે

જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર હાલમાં શની તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં છે અને કુંભ રાશિમાં શનિના પ્રવેશની સાથે જ કેન્દ્ર ત્રિકોણ રાજયોગ, બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા મુજબ જે લોકોની કુંડળીમાં ત્રિકોણ કેન્દ્ર રાજ્યોગ હોય છે. જેના જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા દ્વાર ખટખટતી હોય છે અને સમાજમાં માન-સન્માન-મોભો અને પ્રતિષ્ઠા મળે છે. હાલમાં આ ત્રણ રાશિના લોકોને ખૂબ લાભ થશે.

કુંભ રાશિમાં ગોચર કરી શુક્ર ખોલશે ભાગ્યના દ્વાર, આ રાશિના જાતકોને કરશે  પ્રભાવિત, આવશે સારા પરિણામ | shukra gochar 2023 venus transit in aquarius  these zodiac signs will be ...


કુંભ રાશિ

હાલ શની તેની મૂળ રાશિ કુંભમાં હોવાથી રાશિના જાતકોને લાભ થશે. કેન્દ્ર ત્રિકોણ રાજયોગના લાભને લઈને કુંભ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થશે. સાથે જ બૌદ્ધિક ક્ષમતામાં પણ વધારો થશે. આ ઉપરાંત દાંપત્ય જીવનમાં આવતા અવરોધો દૂર થવાની પણ સંભાવના જોવા મળી રહી છે. સાથે સાથે આ જાતકોનું વર્તન અન્ય લોકોને આકર્ષિત કરનારું બની રહેશે.

30 વર્ષ બાદ કુંભ રાશિમાં શનિ: શું આવશે કોઈ આફત? તમારી રાશિ પર પડશે આવી અસર  | shani rashi parivartan 2023 how all zodiac signs people will be effected  with shani ki sadhe sati


વૃષભ રાશિ

કેન્દ્ર ત્રિકોણ રાજયોગને પરિણામે વૃષભ રાશિના લોકોને પણ સારો એવો ફાયદો થઇ શકે છે. આ રાશિના જાતકોના કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. સાથે સાથે પારિવારિક જીવનમાં પણ અનેક પ્રકારની મુશ્કેલીનો અંત આવી શકે છે. તો નોકરીની શોધમાં રહેલા લોકોને સારી એવી નોકરી મળે તેવા પણ સંજોગો વર્તાયા છે અને પ્રમોશનની આશા પણ જોવા મળી રહી છે.તો સાથે સાથે આર્થિક સ્થિતિ મજબૂત બને તેવા પણ વૃષભ રાશીના લોકો માટે સારા સમાચાર છે.

સિંહ રાશિ

કેન્દ્ર ત્રિકોણ રાજયોગ સિંહ રાશીના જાતકો માટે પણ સાનુકૂળ સાબિત થશે. આ સમયગાળા દરમિયાન સિંહ રાશિના જાતકોના પરિવારજનો અને જીવનસાથી પાસેથી સંપૂર્ણ સાથ સહકાર મળશે. વધુમાં કાર્યક્ષેત્ર પર પણ તે સારું પ્રદર્શન કરી શકશે. અથવા માન પ્રતિષ્ઠા અને મોભો પણ મેળવી શકાશે. ભાગીદારીમાં કામ કરી રહ્યા છો તો આ સમયગાળામાં સફળતા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ