બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Keep God at your head.! Farmers are thirsty for electricity during the day and electricity is wasted in the AC offices of government officials
Vishal Khamar
Last Updated: 10:24 PM, 27 April 2023
કવિ કરસનદાસ માણેકની એ પંકતિઓ કદાચ દરેક ગુજરાતી જાણતો જ હશે કે મને એ જ સમજાતું નથી કે આવુ શાને થાય છે ફૂલડા ડૂબી જતાને પથ્થરો તરી જાય છે. અત્યારે બે વિરોધાભાસ એવા સર્જાયા છે કે જેમાં આ પંક્તિઓ સુપેરે ફીટ બેસે છે. એક તરફ જયાં રાજ્યમાં કેટલીક સરકારી કચેરીઓ છે કે જયાં અધિકારીઓ આવ્યા હોય કે ન આવ્યા હોય પણ લાઈટ-પંખા આડેધડ ચાલુ હોય અને બીજી તરફ સરકારની જાહેરાત છતા દિવસે વીજળી માટે રાજ્યનો ખેડૂત વલખા મારતો હોય. એ વાત પણ કોઈનાથી છૂપી નથી કે દિવસે વીજળીના અભાવે ખેડૂતોએ રાત્રે પિયત માટે જવું પડે છે અને તાજેતરમાં શિયાળાની સિઝનમાં કાતિલ ઠંડીથી કેટલાક ખેડૂતોનું મૃત્યુ પણ થયું. આવી વિરોધાભાસી સ્થિતિની વચ્ચે ખેડૂતની ફરિયાદનો ઉકેલ કયારે?, કચેરીઓમાં વીજળીનો વેડફાટ ન થવો જોઈએ આટલી સાદી સમજણ ઉચ્ચ શિક્ષણ મેળવેલા અધિકારીઓને શું નહીં હોય..? જો કચેરીઓમાં વીજળીના આવા વેડફાટના દ્રશ્યો સામાન્ય હોય તો પછી એ અધિકારીઓને ખેડૂતોની રજૂઆત કે વેદના કયારેય પણ સમજાશે ખરા?
સરકારી કચેરીઓમાં વીજળીનો બેફામ વપરાશ છે. સરકારી કચેરીઓમાં આડેધડ વીજળી વપરાઈ રહી છે. અધિકારી હાજર હોય કે ન હોય લાઈટ-પંખા ચાલુ રહે છે. કલાકો સુધી કચેરીમાં કોઈ ન આવે પણ વીજવપરાશ યથાવત રહે છે. સરકારી કચેરીમાં વીજળીના બેફામ વપરાશની સામે બીજો વિરોધાભાસ પણ છે. ખેડૂતો દિવસે વીજળી માટે અનેકવાર રજૂઆતો કરે છે. દિવસે વીજળી આપવાની યોજના પણ છે, પરંતુ તેની અમલવારી થતી નથી. વીજળી માટે ખેડૂત તરસતો રહે અને કચેરીઓમાં વીજળી મનફાવે તેમ વપરાતી રહે.
આ સ્થિતિને કેમ નિવારવી?
રાજ્યમાં સરકારી કચેરીઓમાં વીજળીના વપરાશ ઉપર કોઈ નિયમન નથી? ત્યારે VTV NEWSના રિયાલીટી ચેકમાં બેજવાબદારીની હદ વટાવતા દ્રશ્યો સામે આવ્યો છે. કચેરીઓ ખાલીખમ હતી પરંતુ વીજવપરાશના તમામ સાધન ચાલુ હાલતમાં હતા. જે તે ટેબલ ઉપર કોઈ અધિકારી નહીં પરંતુ લાઈટ-પંખા ચાલુ હતા. 11 વાગ્યા સુધી કોઈ આવ્યું ન હોય પરંતુ લાઈટ, AC, પંખા ચાલુ જ રહ્યા હોય. અમદાવાદ અને ભાવનગરની કચેરીઓમાં વીજળીનો બેફામ વપરાશ થઈ રહ્યો હતો.
અહીં વેડફાય છે વીજળી
અમદાવાદ
જિલ્લા સહાયક નિરીક્ષકની કચેરી |
રિજિયોનલ ડેપ્યુટી એક્ઝામીનરની ઓફિસ |
સહકારી મંડળીની ઓફિસ |
સંયુક્ત રજીસ્ટ્રારની ઓફિસ |
કાર્યપાલક ઈજનેર, વિદ્યુત વિભાગ |
એક્ઝિક્યુટીવ ઈજનેર |
નગર નિયોજક કચેરી |
હિસાબી શાખા |
વહીવટી અધિકારીની કચેરી |
ભાવનગર
જિલ્લા પંચાયત કચેરી
ખેડૂતોની ફરિયાદનો ઉકેલ શું?
કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને દિવસે વીજળી મળતી નથી. ગુજરાતના અનેક વિસ્તાર એવા છે કે જયાં ખેડૂતોને દિવસે વીજળી મળતી નથી. દિવસે વીજળી ન મળતા ખેડૂતો રાત્રે પિયત કરવા મજબૂર બને છે. સરકાર ફીડરની લંબાઈ, વિભાજનના કારણો આગળ ધરે છે. ખેતીની વીજળી માટેના જરૂરી લોડનું પણ કારણ આગળ ધરવામાં આવે છે. શિયાળાની સિઝનમાં તાજેતરમાં કેટલાક ખેડૂત ઠંડીને લીધે મૃત્યુ પામ્યાના બનાવ બન્યા. ખેડૂત દિવસે વીજળી માટે વલખા મારે અને કચેરીઓમાં વીજળી વેડફાતી રહે. કચેરીઓ સરકારી કામકાજનું વહન કરવા માટે છે તો ખેડૂતો પણ અન્નદાતા છે. અન્નદાતા જ વીજળી માટે તરસતો રહે તે સ્થિતિ કેટલી યોગ્ય તે મહત્વનો સવાલ. કચેરીઓ વીજળી વેડફતી રહે અને ખેડૂતને વિવિધ કારણોથી વીજળી ન મળે.
કયા વિસ્તારમાં ખેડૂતોને વીજળીની સમસ્યા?
ગીર-સોમનાથ |
જૂનાગઢ |
સાણંદ |
નવસારી |
ઊંઝા |
ડીસા |
હવે વીજળીનો વેડફાટ ન પોષાય
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime