બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / દુકાનદારોએ પોતાની ઓળખ જાહેર કરવાની જરૂર નથી', નેમ પ્લેટ વિવાદમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો
Last Updated: 01:53 PM, 22 July 2024
કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ કેસમાં સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન કોર્ટે આ નિર્ણય પર વચગાળાનો સ્ટે મૂકી દીધો છે જેમાં કાવડ માર્ગ પરના દુકાનદારોને તેમની ઓળખ જાહેર કરવા કહેવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું છે કે દુકાનદારોએ પોતાનું નામ કે ઓળખ જાહેર કરવાની જરૂર નથી.
ADVERTISEMENT
કોર્ટે કહ્યું કે દુકાનદારોએ માત્ર એ જણાવવું પડશે કે તેઓ કયા પ્રકારનું ખાદ્યપદાર્થ વેચી રહ્યા છે. ખોરાક શાકાહારી છે કે માંસાહારી છે તે દુકાનદારોને પ્રકાશિત કરવાની જરૂર છે.
Supreme Court stays governments’ directive asking eateries on Kanwariya Yatra route to put owners' names and issues notices to Uttar Pradesh, Uttarakhand and Madhya Pradesh governments on petitions challenging their directive asking eateries on Kanwariya Yatra route to put… pic.twitter.com/6GQKwY8OK4
— ANI (@ANI) July 22, 2024
ADVERTISEMENT
આ સંદર્ભમાં કોર્ટે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશની સરકારોને નોટિસ પાઠવી છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે જો અરજદારો અન્ય રાજ્યોને પણ સામેલ કરવા માગે છે તો તે રાજ્યોને પણ નોટિસ આપવામાં આવશે.
યુપીના મુઝફ્ફરનગરમાં તેની શરૂઆત કરવામાં આવી હતી
ADVERTISEMENT
યુપીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કંવર યાત્રા પહેલા જરૂરી સૂચનાઓ આપી હતી. સરકારના જણાવ્યા મુજબ, રસ્તાની બાજુના સ્ટોલ સહિત દરેક ખાદ્યપદાર્થોના સ્ટોલના માલિકો માટે તેમના નામ સાથેનું બોર્ડ લગાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. આ નિયમ મુઝફ્ફરનગરથી શરૂ થયો હતો. ત્યાં સ્થાનિક પ્રશાસને કંવર યાત્રાળુઓના માર્ગ પર આવતી દુકાનો પર તેમના માલિકો અને સંચાલકોના નામ લખવાની સૂચના આપી હતી.
ADVERTISEMENT
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 19 જુલાઈએ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને સમગ્ર રાજ્યમાં કંવર તીર્થયાત્રીઓના માર્ગ પર આવતી દરેક દુકાનના માલિક અને સંચાલકના નામ લખવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ હલાલ ઉત્પાદનોનું વેચાણ કરનારાઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ પણ આપ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.