બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / jyotish upay for job promotion try these 5 remedies

ઉપાય / ગમે તેટલી મહેનત કરવા છતાં નથી વધી રહ્યો પગાર? ચંદ્રને મજબૂત કરવા કરો આ 4 ઉપાય

Arohi

Last Updated: 04:26 PM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Job Promotion Remedies: કુંડળીમાં અમુક ગ્રહોનું હોવું વ્યક્તિના જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ ઉત્પન્ન કરી શકે છે. વ્યક્તિને કામમાં અસફળતાનો સામનો કરવો પડી શકે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં અમુક ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે.

  • મહેનત બાદ પણ નથી મળતી સફળતા? 
  • આજે જ કરી લો આ ઉપાય 
  • બદલાઈ જશે જીવન 

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની મહેનતનું સંપૂર્ણ ફળ તેને મળે. જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ મેળવવા માટે વ્યક્તિ નોકરી કરે છે અને મહેનત કરે છે જેથી ઈચ્છા અનુસાર પ્રમોશન મળી શકે. પરંતુ આમ ન થવા પર વ્યક્તિ નિરાશ થઈ જાય છે અને આત્મવિશ્વાસ કમજોર થવા લાગે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં તેનું એક કારણ ચંદ્રમાને પણ માનવામાં આવ્યું છે માન્યતા છે કે વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર કમજોર હોવા પર તેને મહેનત બાદ પણ ઈચ્છા અનુસાર સફળતા નથી મળી શકતી. વ્યક્તિના મનમાં નકારાત્મક વિચાર આવવા લાગે છે. જાણો ચંદ્ર મજબૂત કરવાના ઉપાય 

નોકરીમાં પ્રમોશન માટે કરો આ ઉપાય 

  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ જાતકનું મન અને મગજ પરેશાન છે સ્ટ્રેસમાં રહે છે તો ભગવાન શિવના માથા પર ચંદ્ર વાળી તસવીર કે મૂર્તિ ઘરમાં રાખો, સાથે જ તેમની નિયમિત પૂજા કરો. તેના ઉપરાંત મંદિરમાં જઈને પણ પૂજા કરી શકો છો રૂદ્રાક્ષની માળાથી પંચાક્ષરી મંત્રનો જાપ કરવાથી મગજ શાંત રહે છે. સકારાત્મક વિચારની સાથે જ વ્યક્તિને નોકરીમાં સફળતા મળે છે. 
  • કુંડળીમાં ચંદ્રની સ્થિતિ કમજોર હોવા પર વ્યક્તિને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જોકોઈ જાતકની કુંડળીમાં ચંદ્ર કમજોર છે તો દૂધ કે જળને વ્યર્થ ન જવા દો. તેનાથી વ્યક્તિને હાની થઈ શકે છે. સાથે જ વ્યક્તિને ખૂબ જ ખરાબ પરિણામોનો સામનો કરવો પડી શકે છે. એવામાં સોમવારે ગરીબ-નિરાધારને દૂધનું દાન કરો. 
  • કુંડળીમાં ચંદ્ર કમજોર હોવા પર સ્ટ્રેસ રહી શકે છે. વ્યક્તિ નકારાત્મક વસ્તુઓ વધારે વિચારે છે. તેનો પ્રભાવ પણ વ્યક્તિના જીવન પર પડે છે. તેના માટે રોજ ચાંદીના ગ્લાસમાં રાત્રે પાણી ભરીને રાખો અને સવારે ઉઠીને આ પાણીને પી લો. તેનાથી કુંડળીમાં ચંદ્રમા મજબૂત થઈ જાય છે. વ્યક્તિને નોકરીમાં પણ લાભ થાય છે. 

વધુ વાંચો: જન્મતારીખ અનુસાર પહેરો ખાસ રત્ન, જીવનમાંથી તમામ સંકટો થશે દૂર, પૈસાથી સાથે આવશે અપાર ખુશી

  • આ ઉપરાંત કુંડળીમાં ચંદ્રમાને મજબૂત કરવા માટે પૂર્ણિમાના દિવસે વ્રત રાખો. આમ કરવાથી વ્યક્તિને ખૂબ ફાયદો મળે છે. આ દિવસે ખૂર બનાવીને રાત્રે ચંદ્રમાની રોશનીમાં રાખો અને બીજા દિવસે સવારે સ્નાન બાદ આ ખીરનું સેવન કરો.  
  • ચંદ્રનો સંબંધ માતા સાથે હોય છે માટે ચંદ્રના કમજોર હોવા પર માતાની ખુશીનું ધ્યાન રાખો. તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. માતાના પ્રસન્ન થવા પર ચંદ્ર મજબૂત થઈ શકે છે. સાથે જ તેનાથી લાભ થઈ શકે છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ