બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Megha
Last Updated: 11:07 AM, 1 September 2022
ગુજરાતમાં ઘણા ઓછા લોકો જાણતા હશે કે ગણેશોત્સવ સૌથી જૂનો અને સાર્વજનિક તહેવાર છે જેના શરૂઆત લગભગ 120 વર્ષ પહેલા થઈ હતી. ગુજરાતમાં સાર્વજનિક ગણેશ સ્થાપન 107 વર્ષના પહેલવાને કરી હતી. વડોદરા રાજ્યના એક પ્રસિદ્ધ પહેલવાન જુમ્મા દાદાએ યુવાઓમાં દેશભક્તિ અને ભાઇચારાની ભાવના પેદા કરવા માટે વર્ષ 1901માં તેના અખાડામાં સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી અને ત્યારથી કરીને આજ સુધી આ ચાલી રહ્યું છે.
જુમ્મા દાદા વ્યાયામ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી રાજેન્દ્ર હરપલે જણાવ્યું હતું કે જુમ્મા દાદાએ યુવાનોને સાથે લાવવા અને તેમનામાં દેશભક્તિની ભાવના જગાડવા માટે સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન કર્યું હતું. આ સિવાય ઈતિહાસકાર ચંદ્રશેખર પાટીલે જણાવ્યું કે જુમ્મા દાદાએ લોકોમાં સાંપ્રદાયિક સદ્દભાવના અને એકતા લાવવા માટે એક મોટી રીતે સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન કર્યું હતું. આ પહેલા તેઓ કેટલાક મંદિર સામુદાયિકમાં ગણેશોત્સવનું આયોજન કરતા હતા. તેમના શિષ્ય પ્રોફેસર માણેકરાવે આજે પણ આ પરંપરા ચાલુ રાખી છે.
તિલકથી પ્રભાવિત હતા જુમ્મા
હરપાલે કહ્યું હતું કે સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય તિલકે મહારાષ્ટ્રમાં સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને મળવા માટે તિલક નિયમિતપણે બરોડા આવતા હતા. તેમની એ મુલાકાત દરમિયાન દરમિયાન તેમણે જુમ્મા દાદા અને તેમની પ્રવૃત્તિઓ વિશે જાણ્યું હતું અને ત્યારે જ જુમ્મા દાદાને તિલક દ્વારા આવી જાહેર પ્રવૃત્તિ શરૂ કરવાની પ્રેરણા મળી હતી.
સ્વતંત્રતા સેનાનીઓને આપતા હતા આશ્રય
તિલકને મળ્યા પછી જુમ્મા દાદાએ તેમના વ્યાયામ મંદિરમાં સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી. તેમને વર્ષ 1880માં બરોડા રાજ્યમાં આ પ્રથમ ગણેશોત્સવ ઉજવ્યો હતો. જુમ્મા દાદાના વ્યાયામ મંદિરે પણ બ્રિટિશ શાસન દરમિયાન સ્વાતંત્ર્ય સેનાનીઓને આશ્રય આપ્યો હતો.
આજે પણ પરંપરા ચાલુ રાખવામાં આવી છે
જુમ્મા દાદાએ વર્ષ 1901માં વ્યાયામ મંદિરમાં ભગવાન ગણેશની માટીની મૂર્તિ સ્થાપિત કરવાની પરંપરા સ્થાપી હતી. તે આજે પણ ચાલુ છે. હરપાલે કહ્યું હતું કે અમે અત્યાર સુધી માટીની મૂર્તિઓનું સ્થાપન કરવાનું ચાલુ રાખ્યું છે. અમે આજે પણ એ જ સાઈઝની મૂર્તિ રાખીએ છીએ જેવી પહેલી વખત રાખવામાં આવી હતી. અખાડામાં ગણેશોત્સવ દરમિયાન તલવારબાજી, કુસ્તી અને શારીરિક વ્યાયામ સહિતના ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime