બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Khyati
Last Updated: 10:51 AM, 2 July 2022
કોરોના કાળ પછી પહેલી એવી રથયાત્રા જે રંગેચંગે ભક્તો સાથે સંપન્ન થઇ. હજારો ભક્તોના ઘોડાપુર સાથે હર્ષોલ્લાસ પૂર્વક રથયાત્રા પર્વ ઉજવાયો. આ એવી ક્ષણ હોય છે જેનો લ્હાવો લઇને ખરેખર ધન્યતા અનુભવાય. ભગવાનના દર્શન કરવા તો સૌ કોઇ મંદિરમાં જાય પરંતુ જ્યારે ભગવાન દર્શન આપવા બહાર આવે તો પછી ભક્તોમાં હરખ તો કેટલો હોય ! ત્યારે નગરચર્યાએ જઇને આવેલા ભગવાન જગન્નાથ આખી રાત મંદિર બહાર જ રહીને વિતાવી. હવે ભગવાનને નિજ મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો.
જગન્નાથજીની નજર ઉતારીને ગર્ભગૃહમાં કરાયો પ્રવેશ
વર્ષમાં એકવાર ભગવાન જ્યારે મંદિરની બહાર નીકળે છે. સાજ શણગાર કરીને ભક્તોને દર્શન આપવા આવે છે ત્યારે સ્વાભાવિક છે ભક્તોની નજર ભગવાનને લાગી જ ગઇ હોય. કારણ કે આ દિવસે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવે છે.જેથી ભગવાન જ્યારે નિજમંદિરેથી પરત આવે છે ત્યારે સૌથી પહેલા તેમની નજર ઉતારવામાં આવે છે. આજે ભગવાનની નજર ઉતારવામાં આવી અને તે પછી યજમાન દ્વારા મહાઆરતી કરવામાં આવી. આ વિધિ પતાવીને જ ભગવાનને મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવ્યાં ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને જય રણછોડનો નાદ ગૂંજી ઊઠ્યો હતો. મહત્વનું છે કે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યા કરી રાતે પરત ફર્યા હતાં. ત્રણેય ભગવાનને મંદિરની અંદર નહીં લાવવાની વર્ષોની પરંપરા પ્રમાણે તેમને બહાર જ રાખવામાં આવ્યા હતા.
જગન્નાથજીને મંદિરમાં સ્થાપિત કરાયા
શનિવારે વહેલી સવારથી જ મંદિરની સાફસફાઇ કરવામાં આવી હતી. ત્યારબાદ રથમાં સવાર જગન્નાથજીની આરતી કરવામાં આવી હતી. પરંપરાગત વિધિ કરીને ભગવાનનો નિજ મંદિરમાં પ્રવેશ કરાયો હતો. વાજતે ગાજતે જગન્નાથજીને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવ્યા. પૂજા કર્યા પછી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રની મૂર્તિઓ મંદિરમાં સ્થાપિત કરાઈ હતી. આ પ્રસંગે પણ ભક્તોમાં ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી હતી. ખૂબ જ સારી રીતે શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થઇ તેનો દિલીપદાસજી મહારાજના ચહેરા પર પણ હરખ જોવા મળ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime