દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ હવે મુંબઈમાં રમાશે
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. દિલ્હી કેપિટલ્સમાં કોરોના વિસ્ફોટ થયો છે. અહીં એક નહીં પરંતુ પાંચ કોરોનાના કેસ મળી આવ્યાં છે. જેથી BCCI એ મોટો નિર્ણય લીધો છે. એટલે કે, હવે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ પૂણેના બદલે મુંબઈમાં રમાશે.
IPL 2022: PBKS vs DC match to be held in Mumbai instead of Pune post COVID cases in Delhi contingent
IPL દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે, દિલ્હી કેપિટલ્સના કુલ પાંચ લોકોને કોરોના થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જાણો કોને-કોને થયો કોરોના...
પૈટ્રિક ફરહાર્ટ (ફિઝિયો)
ચેતન કુમાર (મસાજ થેરાપિસ્ટ)
મિચેલ માર્શ (ખેલાડી)
અભિજિત સાલ્વી (ડૉક્ટર)
આકાશ માને (સોશિયલ મીડિયા ટીમ)
મળતી માહિતી અનુસાર, કોરોનાના કેસ સામે આવ્યા બાદ દરેકને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આઇસોલેશનના છઠ્ઠા અને સાતમા દિવસે દરેકની તપાસ કરવામાં આવશે. ત્યાર બાદ જ આગળનો નિર્ણય લેવામાં આવશે.
#IPL2022 match b/w Delhi Capital and Punjab Kings scheduled to be held on April 20 has been shifted from MCA Stadium in Pune to Brabourne Stadium, Mumbai. The venue has been changed after 5 COVID19 positive cases were reported in the Delhi Capitals contingent: BCCI Secy Jay Shah pic.twitter.com/XNu1ikpPsD
16 એપ્રિલ બાદ દિલ્હી કેપિટલ્સના સમગ્ર કેમ્પમાં દરરોજ RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. 19 એપ્રિલના રોજ ચોથા રાઉન્ડનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, તે તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 20 એપ્રિલે સવારના આખી ટીમનું ટેસ્ટિંગ કરવામાં આવશે.