બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:05 PM, 16 July 2025
દિલ્હીથી ગોવા જઈ રહેલી ઈન્ડિગોની એક ફ્લાઈટનું એક એન્જિન ખરાબ થઈ જવાને કારણે બુધવારે રાત્રે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું.
ADVERTISEMENT
દિલ્હીથી ગોવા જઈ રહેલી ઈન્ડિગોની એક ફ્લાઈટનું એન્જિન ખરાબ થવાને કારણે બુધવારે રાત્રે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્લાઈટ ઉડાન ભર્યા પછી, પાયલટે રાત્રે લગભગ 9:25 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને ઈમરજન્સી પરિસ્થિતિ વિશે જાણ કરી હતી. આ પછી, લગભગ 9:42 વાગ્યે પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ થયું. પ્લેનના સુરક્ષિત લેન્ડિંગ પછી, બધા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
વધુ વાંચો: સલમાન ખાને અચાનક મુંબઈમાં પોતાનું ઘર વેચી નાખ્યું, આટલા કરોડમાં થઈ ડીલ
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીથી ગોવા જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E-231 ને ટેકઓફ દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વિમાનનું એક એન્જિન હવામાં જ ફેલ થઈ ગયું હતું, જેના પગલે પાઇલટે તાત્કાલિક ATC ને જાણ કરી અને મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ માટે પરવાનગી માંગી. રાત્રે 9:25 વાગ્યે ઈમરજન્સી એલાર્મ વાગ્યા પછી, એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યા હતા. ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. રાત્રે 9:42 વાગ્યે વિમાન મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું.
ADVERTISEMENT
ઇન્ડિગો તરફથી નિવેદન આપવામાં આવ્યું
ઇન્ડિગોના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, "ટેકનિકલ ખામીને કારણે ફ્લાઇટ 6E-231 ને પ્રાથમિકતાના ધોરણે મુંબઈમાં લેન્ડ કરવામાં આવી હતી. વિમાનનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ."
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.