બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Indian Army eliminated 21 terrorists in just 50 days
Priyakant
Last Updated: 10:13 AM, 24 July 2023
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી આતંકવાદીઓ અને દેશના સુરક્ષા દળો વચ્ચે અથડામણ વધી છે. તાજેતરમાં જ સેનાએ પુંછ જિલ્લામાં બે દિવસમાં 6 આતંકીઓને ઠાર કર્યા હતા. એક રિપોર્ટ અનુસાર જૂન અને જુલાઈ મહિના જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ માટે સૌથી ઘાતક રહ્યા છે. કારણ કે 1 જૂનથી 20 જુલાઈ વચ્ચે સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 21 આતંકીઓને ઠાર કર્યા હતા. આ સાથે આ વર્ષે જાન્યુઆરીથી મે સુધી સેનાએ 14 આતંકવાદીઓને ઠાર કર્યા છે.
જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા ઘણી ઓછી હતી. એક અહેવાલ મુજબ જાન્યુઆરીમાં 4, ફેબ્રુઆરીમાં 3, માર્ચમાં 1 અને એપ્રિલમાં શૂન્ય આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ સાથે જ મે મહિનામાં છ આતંકવાદીઓ માર્યા ગયા હતા. નિષ્ણાતોએ કહ્યું કે, એન્કાઉન્ટરમાં આતંકવાદીઓને માર્યા જવાના આંકડા આશ્ચર્યજનક નથી. કારણ કે સામાન્ય રીતે શિયાળાના મહિનાઓમાં પાસ બંધ થવાને કારણે ઘૂસણખોરીમાં ઘટાડો થાય છે. ત્યારપછી જેમ જેમ બરફ પીગળે છે તેમ આતંકવાદીઓની ઘૂસણખોરી વધવા લાગે છે.
નોંધનીય છે કે, આ વર્ષે 1 જાન્યુઆરીથી 20 જુલાઈ અને 2022ની 1 જાન્યુઆરીથી 20 જુલાઈ વચ્ચે માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યામાં 73 ટકાનો ઘટાડો નોંધાયો છે. સુરક્ષા નિષ્ણાતોએ ને આતંકવાદી ગતિવિધિઓ પર અંકુશ અને સ્થાનિક આતંકવાદીઓની ભરતીમાં ઘટાડાનું મુખ્ય કારણ ગણાવ્યું છે.
અહેવાલો મુજબ 2022માં જાન્યુઆરી-જુલાઈ દરમિયાન 95 સ્થાનિક આતંકવાદીઓ માર્યા ગયા હતા. જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 8 સ્થાનિક આતંકવાદીઓ માર્યા ગયા છે. ગયા વર્ષે જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે 36 વિદેશી આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ તરફ આ વર્ષે માત્ર 27 વિદેશી આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા સ્થાનિક આતંકવાદીઓની સંખ્યામાં ઘટાડો હાલમાં J&Kમાં કાર્યરત કુલ આતંકવાદીઓની ટકાવારીમાં થયેલા ઘટાડા સાથે મેળ ખાય છે. 20 જુલાઈ સુધીમાં 71 વિદેશી આતંકવાદીઓ અને 38 સ્થાનિકો સહિત 109 આતંકવાદીઓ સક્રિય હોવાનું કહેવાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime