બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Manisha Jogi
Last Updated: 02:40 PM, 24 January 2024
ઉન્મુક્ત ચંદ એક એવા ક્રિકેટર છે, જેમણે એક સમયે જેમની કેપ્ટનશીપમાં ભારતે U19 વર્લ્ડ કપ જીત્યો હતો. આ ખેલાડીને લોકો ભવિષ્યનો કોહલી અને સેહવાગ કહેતા હતા, પરંતુ આ ખેલાડી ખાસ મુકામ સુધી પહોંચી ના શક્યો. ઉન્મુક્ત ચંદ એકપણ ઈન્ટરનેશનલ મેચ રમી શક્યા નહીં, જેના કારણે 28 વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. હવે આ ખેલાડી USAની ટીમનું પ્રતિનિધિત્ત્વ કરતો જોવા મળશે.
થોડા સમય પહેલા T20I વર્લ્ડ કપ 2024નું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે વેસ્ટઈન્ડીઝ અને અમેરિકા આ ટુર્નામેન્ટની મેજબાની કરશે. ભારત પહેલી મેચ 5 જૂનના રોજ આયર્લેન્ડ સામે રમશે. 12 જૂનના રોજ અમેરિકા અને ભારત વચ્ચે મેચ રમાશે. આ મેચમાં ભારતીય મૂળના ખેલાડી ઉન્મુક્ત ચંદ અમેરિકા તરફથી રમશે.
મીડિયા રિપોર્ટ અનુસાર ઉન્મુક્ત ચંદે જણાવ્યું છે કે, ‘ભારતની સામે રમવું ખૂબ જ અજીબ હશે. જ્યારથી મેં ભારતીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે, ત્યારથી મારો એક ગોલ છે કે, હું ભારત વિરુદ્ધ મેચ રમું.’
2021માં સંન્યાસ લીધો હતો
ઉન્મુક્ત ચંદે 13 ઓગસ્ટ 2021ના રોજ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. ઉન્મુક્ત ચંદે આ અંગે સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી કે, ‘પોતાના દેશ તરફથી ના રમી શકવું તે મારા માટે ખૂબ જ ગંભીર બાબત છે. વ્યક્તિગતરૂપે ભારતમાં મારી ક્રિકેટ જર્ની શાનદાર રહી છે. ભારત માટે U19 વર્લ્ડ કપ જીતવો તે મારા માટે સૌથી સારી મોમેન્ટ છે. એક કેપ્ટન તરીકે કપ ઉઠાવવો અને દેશમાં લાવવો તે ખૂબ જ શાનદાર પળ છે. ક્રિકેટ એક આંતરરાષ્ટ્રીય રમત છે. એવું થઈ શકે કે, તે બદલાઈ જાય પરંતુ ધ્યેય હંમેશા એક જ રહે છે કે, ટોપ લેવલે રમવું. તમામ લોકોનો આભાર.’
ઉન્મુક્ત ચંદે તેમના કરિઅરમાં 67 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેમાં 31.57ની સરેરાશથી 3,379 રન કર્યા છે. લિસ્ટ એ ક્રિકેટમાં તેમણે 120 મેચમાં 41.33ની સરેરાશથી 4,505 રન કર્યા છે. 77 મેચમાં 22.35ની સરેરાશથી 1,565 રન કર્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો