બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / સ્પોર્ટસ / Cricket / IND vs WI ODI: Indian team management changed their strategy for Suryakumar Yadav, prepared plan
Megha
Last Updated: 11:03 AM, 1 August 2023
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 ODI સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ આજે એટલે કે મંગળવારે રમાશે. જણાવી દઈએ કે આ સીરિઝમાં ટીમ ઈન્ડિયા આવનાર વનડે વર્લ્ડ કપને લઈને પ્રયોગ કરવા જઈ રહી છે. એ વાત તો નોંધનીય છે કે કે બંને મેચમાં બેટિંગ ઓર્ડરમાં ઘણો બદલાવ જોવા મળ્યો હતો અને બંને મેચમાં સૂર્યકુમાર યાદવ અલગ-અલગ નંબર પર બેટિંગ કરવા માટે ઉતર્યા હતા. જણાવી દઈએ કે પહેલી મેચમાં સૂર્યકુમાર યાદવ 3 નંબર પર અને બીજી વનડેમાં 6 પર રમ્યો હતો. જો કે એમ છતાં તે બંને મેચમાં મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. વર્લ્ડકપની દૃષ્ટિએ ટીમ ઈન્ડિયા માટે સૂર્યકુમાર મહત્વપૂર્ણ ખેલાડી છે અને આ કારણે ટીમ ઈન્ડિયાએ સૂર્યાને લઈને પોતાની રણનીતિ બદલી છે.
— Surya Kumar Yadav (@surya_14kumar) July 26, 2023
વર્લ્ડ કપ 2023માં બે મહિનાથી પણ ઓછો સમય બાકી
એ વાત તો આપણે બધા જાણીએ જ છીએ કે વર્લ્ડ કપ 2023માં બે મહિનાથી પણ ઓછો સમય બાકી છે અને ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામેની 3 વનડે સીરિઝમાં પોતાની તૈયારીઓ ચકાસી રહી છે. આ કારણોસર પહેલી બે વનડેમાં બેટિંગ ક્રમમાં ઘણા ફેરફારો થયા હતા. બેકઅપ ખેલાડીઓને અજમાવવા માટે વિરાટ કોહલી અને રોહિત શર્માએ બીજી વનડે રમી ન હતી પણ ઈશાન કિશન સિવાય અન્ય કોઈ ખેલાડી તકનો લાભ ઉઠાવી શક્યો નહોતો.
મેનેજમેન્ટે સૂર્યકુમાર યાદવને લઈને પોતાની રણનીતિ બદલી
આ બધા સાથે જ સૂર્યકુમાર યાદવ પણ બંને મેચમાં ફ્લોપ રહ્યો હતો. એવામાં હવે ભારતીય ટીમ મેનેજમેન્ટે સૂર્યકુમાર યાદવને લઈને પોતાની રણનીતિ બદલી છે. વર્લ્ડ કપ 2023ને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ મેનેજમેન્ટે સૂર્યકુમાર યાદવની બેટિંગ પોઝિશન બદલવાનો નિર્ણય કર્યો છે. હવે તેને ચોથા નંબર પર અજમાવવાને બદલે તેને 6 પર બેટિંગ માટે મોકલવામાં આવશે. ચોથા નંબર પર બેટિંગ કરતા સૂર્યકુમારની વનડેમાં સરેરાશ માત્ર 6 છે. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ અને મુખ્ય સિલેક્ટર અજીત અગરકરે આ નિર્ણય લીધો છે.
Happy birthday to my partner in debuts, pranks, and entertainment. 🤗🤩
— Surya Kumar Yadav (@surya_14kumar) July 18, 2023
There is never a dull moment in the room when you’re around.. May you achieve all that your heart desires, and may you never lose your craziness 🤪@ishankishan51 🎂 pic.twitter.com/56NPJLeyTL
સૂર્યા હવે 6 નંબર પર બેટિંગ કરતો જોવા મળશે
ભારતીય ટીમ મેનેજમેન્ટ દ્વારા સૂર્યકુમારને નવી ભૂમિકા સોંપવામાં આવી છે અને હવે તે 6 નંબર પર બેટિંગ કરતો જોવા મળશે. સૂર્યા બીજી વનડેમાં પણ તે જ નંબર પર ઉતર્યો હતો અને તેણે 25 બોલમાં 24 રન બનાવ્યા હતા. જો કે એ વાત તો જાણીતી છે કે વનડે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે નંબર-4નું સ્થાન મહત્વપૂર્ણ રહેશે. શ્રેયસ અય્યર, કેએલ રાહુલની ઈજાના કિસ્સામાં ટીમે આ નંબર પર સૂર્યકુમાર યાદવને અજમાવવાનું નક્કી કર્યું. તેને વનડેમાં ચોથા નંબર પર બેટિંગ માટે મોકલવામાં આવ્યો હતો. પરંતુ આ નંબર પર બેટિંગ કરતા સૂર્યકુમારે 6 મેચમાં 6ની એવરેજથી માત્ર 30 રન બનાવ્યા હતા. કુલ મળીને તેણે 25 મેચમાં 24ની એવરેજથી 476 રન બનાવ્યા છે. આ જોઈને ટીમ ઈન્ડિયાએ પોતાના પ્લાનિંગમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
ટી20માં સૂર્યકુમાર યાદવ ખૂબ સારું પ્રદર્શન કરે છે
હવે સૂર્યકુમાર યાદવ વનડેમાં છઠ્ઠા નંબર પર બેટિંગ કરશે. ટી20માં પ્રેશરને કારણે સૂર્યકુમાર યાદવ ખૂબ સારું પ્રદર્શન કરે છે અને એ કારણે તેને આ નંબર પર રાખવામાં આવ્યો છે. તેની પાછળનું કારણ એ છે કે મોટાભાગના પ્રસંગોએ આ નંબર પર બેટિંગ માટે આવતા ખેલાડીને બહુ ઓછા બોલ રમવા મળે છે. આવી સ્થિતિમાં સૂર્યકુમાર ટી20 શૈલીમાં બેટિંગ કરી શકશે. ODIમાં 6 નંબર પર બેટિંગ કરતી વખતે સૂર્યાએ 4 મેચમાં 107ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.
🇮🇳💙 pic.twitter.com/D0H1BGMSkY
— Surya Kumar Yadav (@surya_14kumar) June 2, 2023
સૂર્યકુમાર ડેથ ઓવરોમાં પોતાની કુદરતી રમત રમી શકશે
મળતી માહિતી મુજબ, સૂર્યકુમાર યાદવના વર્તમાન ફોર્મને લઈને મુખ્ય પસંદગીકાર અજીત અગરકર, કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. ત્રણેયને લાગ્યું કે સૂર્યકુમારને ડેથ ઓવરમાં બેટિંગ કરવા મોકલવો જોઈએ. ટીમને લાગે છે કે સૂર્યકુમાર ડેથ ઓવરોમાં પોતાની કુદરતી રમત રમી શકશે. વિશ્વ ક્રિકેટમાં અત્યારે તેમના જેવો ભાગ્યે જ કોઈ બેટ્સમેન હશે જે પેસ અને સ્પિન બંને સામે આસાનીથી મોટા શોટ ફટકારી શકે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime