બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / સ્પોર્ટસ / Cricket / IND Vs AUS T20I Series Suryakumar yadav says i gave axar 19th over because he has bowled 19th and 20th overs before
Arohi
Last Updated: 09:56 AM, 29 November 2023
ગ્લેન મેક્સવેલની અણનમ સેન્ચુરીના દમ પર ઓસ્ટ્રેલિયાએ ભારતના સામે ટી20 સીરિઝમાં શાનદાર વાપસી કરી લીધી છે. સીરિઝની ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા રમતા 222 રનનો શાનદાર સ્કોર ઉભો કર્યો. ઋતુરાજ ગાયકવાડે સેન્ચુરી મારી. પરંતુ મેક્સવેલના 48 બોલ પર અણનમ 108 રને કાન્ગારુ ટીમને છેલ્લા બોલ પર રોમાંચક જીત અપાવી.
That's that from the third T20I, Australia win by 5 wickets.
— BCCI (@BCCI) November 28, 2023
The five match series now stands at 2-1.#INDvAUS @IDFCFIRSTBank pic.twitter.com/3a2wbpIHPV
ઓસ્ટ્રેલિયાને છેલ્લી ઓવરમાં જીત માટે 21 રન બનાવવાના હતા. મેક્સવેલે પ્રસિદ્ધ કૃષ્ણાના છેલ્લા 4 બોલ પર એક છગ્ગો અને 3 ચોગ્ગા માર્યા. 5 મેચોની સીરિઝમાં જોકે ભારતીય ટીમ હજુ પણ 2-1થી આગળ છે. મેચ બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે હારનું મોટુ કારણ જણાવ્યું છે. સીરિઝની ચોથી મેચ 1 ડિસેમ્બરે રાયપુરમાં રમાશે.
2 ઓવરમાં બનાવવામાં હતા 43 રન
ઓસ્ટ્રેલિયાને છેલ્લી 2 ઓવરોમાં જીત માટે 43 રન બનાવવાના હતા. સૂર્યકુમાર યાદવે 19મી ઓવર લેફ્ટહેન્ડ સ્પિનર અક્ષર પટેલને આપી. અક્ષરે ઓવરમાં 22 રન આપ્યા. મેચ બાદ કેપ્ટન સૂર્યાએ કહ્યું હતું કે અમે ગ્લેન મેક્સવેલને જલ્દી આઉટ કરવા માંગતા હતા. આજ અમારી પ્લાનિંગ હતી. પરંતુ ગુવાહાટીમાં ખૂબ જ ઝાકળ હતી. જેના કારણે ઓસ્ટેરેલિયાની ટીમ વિકેટ પડ્યા બાદ પણ મેચમાં બની રહી. ઝાકળના કારણે બોલરોને મુશ્કેલી થઈ રહી હતી.
અક્ષર પટેલ અનુભવી બોલર
અક્ષર પટેલને ઈનિંગની 19મી ઓવર આપવાના સવાલ પર સૂર્યકુમાર યાવદવે કહ્યું કે અક્ષર પટેલ પહેલા પણ 19મી અને 20મી ઓવર ફેંકી ચુક્યા છે. તેની પાસે અનુભવ છે. હું અંતિમ ઓવરોમાં અનુભવી બોલરોની સાથે જ જવા માંગતો હતો. પછી તે સ્પિનર હોય કે ફાસ્ટ બોલર.
સૂર્યાએ ઓપનર બેટર ઋતુરાજ ગાયકવાડની સેન્ચુરી પર કહ્યું કે તેમણે શાનદાર ઈનિંગ રમી. મારા આઉટ થયા બાદ તેમણે ઈનિંગને આગળ વધારી. હું ફેંન્ચાઈઝી ક્રિકેટમાં પણ હંમેશા કહું છું કે ઋતુરાજ એક ખાસ ખેલાડી છે અને જે રીતે તેમણે બેટિંગ કરી તેનાથી તે દેખાઈ પણ આવ્યું. હાર બાદ પણ મારા ખેલાડીઓના પ્રદર્શનથી સંતુષ્ટ છું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime