પહેલી એપ્રિલથી તમારા પૈસા અને ટેક્સથી જોડાયેલા ઘણાં બદલાવ થવા જઈ રહ્યાં છે. તો ચાલો જાણી લો તેના વિશે.
1 એપ્રિલથી થશે આ બદલાવ
PF અને Tax સાથે જોડાયેલા આ 5 નિયમોમાં થશે ફેરફાર
આ ફેરફાર જાણી લો નહીંતર ડબલ TDS આપવું પડશે
બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણએ મિડલ ક્લાસ અને પગાર મેળવનાર ક્લાસ માટે ઘણી જાહેરાત કરી છે. આ નિયમ 1 એપ્રિલ, 2021થી લાગુ થઈ જશે. જોકે જે લોકોની ઉંમર 75 વર્ષથી વધુ છે તેમને આ વખતે બજેટમાં રાહત આપવામાં આવી છે એટલે કે એ લોકોએ ટેક્સ રિટર્ન ફાઇલ નહીં કરવું પડે.
EPF પર ટેક્સ
ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા નવા નિયમ મુજબ, 1 એપ્રિલથી 2.5 લાખથી વધુ પીએફ કોન્ટ્રીબ્યૂશન કરનાર પર જે વ્યાજ મળે છે તેની પર તમારે ટેક્સ આપવો પડશે. નાણા મંત્રીએ વધુ પગારવાળા કર્મચારીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. જોકે તેની અસર બે લાખ રૂપિયા મંથલી સેલરીવાળા લોકો ઉપર જ પડશે.
બમણું TDS આપવું પડશે
કેન્દ્ર સરકાર આઇટીઆર ફાઇલિંગને પ્રોત્સાહન આપી રહી છે. સરકારે નવા નિયમ બનાવ્યા છે કે જે પણ લોકો આઇટીઆર ફાઇલ નહીં કરે તેમને ડબલ ટીડીએસ આપવો પડશે. સરકારે ઇન્કમ ટેક્સ એક્ટમાં સેક્શન 206ABને જોડી દીધું છે. આ સેક્શન મુજબ, હવે આઇટીઆર ફાઇલ નહીં કરવા પર પહેલી એપ્રિલથી બમણું ટીડીએસ આપવું પડશે.
LTC સ્કીમનો ફાયદો મળશે
તમને જણાવી દઈએ કે, સરકાર LTC સ્કીમનો વિસ્તાર કરી રહી છે. નવા નાણાકીય વર્ષમાં આ સ્કીમ લાગુ થઈ જશે. નોંધનીય છે કે આ સ્કીમનો ફાયદો એવા કર્મચારીઓને મળશે જેમને કોરોના મહામારીને કારણે પ્રતિબંધને કારણે LTC ટેક્સ બેનિફિટનો ફાયદો નહોતો ઉઠાવ્યો.
બજેટમાં નાણા મંત્રીએ એલાન કર્યું હતું કે 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટેક્સથી રાહત આપવામાં આવી છે. એટલે કે પહેલી એપ્રિલથી 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટેક્સ ફાઇલ કરવું નહીં પડે. નોંધનીય છે કે આ છૂટ એ સીનિયર સિટિઝન્સને આપવામાં આવી છે જે પેન્શન કે પછી ફિક્ડ્ન ડિપોઝિટ પર મળનારા વ્યાજ પર આશ્રિત છે.