બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / સુરત / Important decision of ST department regarding Janmashtami festival

સુવિધા / જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે સુરતથી આગામી 6-7 સપ્ટેમ્બરે વધારાની 100 ST બસો દોડાવાશે, પરંતુ કરવું પડશે આ કામ

Malay

Last Updated: 10:04 AM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સાતમ-આઠમના તહેવારોને લઇને સુરત ST વિભાગનો મુસાફરોને રાહત આપતો મહત્વનો નિર્ણય, 6 અને 7 સપ્ટેમબરે સુરતથી 100 જેટલી વધારાની ST બસો દોડાવાશે.

  • STમાં મુસાફરી કરતા લોકો માટે રાહતના સમાચાર
  • શ્રાવણ મહિનામાં તહેવારોને લઈ એક્સ્ટ્રા બસો દોડાવાશે
  • 6 અને 7 સપ્ટેમબરે સુરતથી 100 જેટલી ST બસો દોડાવાશે

Surat News: સાતમ-આઠમનો તહેવાર નજીક આવી રહ્યો છે, તહેવાર પર એસ.ટી બસોમાં મુસાફરોની સંખ્યા વધુ જોવા મળતી હોય છે. જેને પહોચી વળવા માટે એસ.ટી વિભાગ દ્વારા દર વર્ષે વધારાની બસોનું સંચાલન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વખતે મુસાફરોને કોઈ અગવડ ન પડે તે માટે સુરત એસ.ટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત એસ.ટી વિભાગ દ્વારા સાતમ-આઠમ એટલે કે 6 અને 7 સપ્ટેમ્બરે 100 જેટલી વધારાની બસો દોડાવવામાં આવશે. 

ST બસમાં મુસાફરી કરવાના હોવ તો ટિકિટ લઈ લેજો, 8 કલાક બંધ રહેવાનું છે  બુકિંગ, જાણો સમય - YouTube

6 અને 7 સપ્ટેમ્બરે દોડાવાશે વધારાની બસ
રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવાં તહેવારોને લઇને દર વર્ષે સુરતથી સૌરાષ્ટ્ર તરફ લોકોનો ધસારો વધુ હોય છે. સુરતમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના લોકો રહે છે, તેઓ સાતમ-આઠમના તહેવાર પર પોતાના વતન જતા હોય છે. આ દરમિયાન તહેવાર પર મુસાફરોનો ભારે ધસારો રહે છે. ત્યારે મુસાફરોને સવલત મળી રહે અને અગવડતા ન પડે તેવા હેતુથી સુરત એસ.ટી.નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 6 અને 7 સપ્ટેમ્બરે સુરત એસટી વિભાગ દ્વારા 100 જેટલી વધારાની બસ દોડાવવામાં આવશે

100 જેટલી વધારાની બસ દોડાવાશે
આ અંગે વિભાગીય નિયામક પી.વી ગજ્જરે કહ્યું કે, તહેવાર પર મુસાફરોને કોઈ હાલાકી ન પડે અને સુવિધા મળી રહે તે માટે એસ. નિગમ દ્વારા દર વર્ષ એક્સ્ટ્રા બસો મૂકવામાં આવે છે. ત્યારે 6 અને 7 સપ્ટેમ્બરે વધારાની બસ દોડાવવાનું નક્કી કરાયું છે. હાલ 100 જેટલી વધારાની બસો દોડાવવાનું આયોજન છે. જો મુસાફરોની સંખ્યામાં વધારો થશે તો હજુ પણ વધુ બસો મુકવામાં આવશે. 

ST મુસાફરો માટે સારા સમાચાર, આ રૂટ પર સેવા શરૂ કરવા સરકારે આપી મંજૂરી |  Gujarat ST Bus Madhya pradesh And rajasthan Route Continue

મુસાફરોને ગ્રુપ બુકિંગનો પણ મળશે લાભ
તેઓએ કહ્યું કે, કોઈ 50 મુસાફરોનું ગ્રુપ તૈયાર થાય તો જે તે વિસ્તારથી બસની સુવિધા મળી રહેશે. બસની સુવિધા મેળવવા માટે અગાઉથી બુકિંગ કરાવવું પડશે. મુસાફરોના ગ્રુપને તેમના ગામ કે ઘર સુધી ST બસ લઈ જશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ