બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / If the memory is weak it is a sign of vitamin deficiency
Kishor
Last Updated: 06:41 PM, 20 October 2023
માનવ શરીર માટે વિટામિન્સ ખૂબ જ મહત્વપૂર્ણ પરિબળ છે. દરેક પ્રકારના વિટામિનમાં અલગ અલગ શક્તિ હોય છે. જેને લઈને વ્યક્તિઓને ખોરાકમાં લીલા પાંદડાવાળા શાકભાજી અને મોસમી ફળો સહિતની વસ્તુ આરોગવાની સલાહ આપવામાં આવતી હોય છે. વિટામિનની માફક વિટામિન B1 પણ મહત્વનો ભાગ ભજવે છે. અભ્યાસમાં એવું પણ સામે આવ્યું કે ચેતા અને સ્નાયુઓ સિવાય વિટામિન બી-1 હૃદયની તંદુરસ્તી જાળવવામાં સારો ભાગ ભજવે છે. વિટામિન બી 1 ને થાઈમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે શરીરમાં ગ્લુકોઝના પાચન અને ચેતા અને સ્નાયુઓની કામગીરીને સરળ બનાવવાનું કામ કરે છે. આ વિટામિનની ઉણપને લઈને શરીરમાં અનેક સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. જેની ઉણપને દૂર કરવા માટે આહારમાં આ વસ્તુનું સેવન કરવું જોઈએ.
પાણીમાં દ્રાવ્ય વિટામિન B1 કાર્બોહાઈડ્રેટને એનર્જીમાં બદલાવી શરીરને જાગૃત અને સક્રિય રાખે છે. વિટામીન B1 ની ઉણપને કારણે બેરી બેરી નામની બીમારીનો ખતરો તથા વજનમાં ઘટાડો અને અનેક માંદગીનો ભોગ બનવાની નોબત આવતી હોય છે.
લીલા વટાણા
આહારમાં લીલા વટાણાનું સેવન કરવાથી વિટામિન બી1 ની ઉણપ દૂર કરી શકાય છે. 100 ગ્રામ લીલા વટાણામાં 0.282 mg વિટામિન B1 જોવા મળે છે. જેમાં કેલ્શિયમ, આર્યન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે.
સૂર્યમુખીના બીજ
સૂર્યમુખીના બીજમાં વિટામિન B1 પણ પૂરતી માત્રામાં જોવા મળે છે. 100 ગ્રામ સૂર્યમુખીના બીજ 0.106 મિલિગ્રામ વિટામિન B1 પ્રદાન કરે છે. આ બીજમાં વિટામિન B2, B3, B6, C, E અને K સાથે ઘણા જરૂરી પોષક તત્વો મળી આવે છે, જે ગંભીર રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. આ બીજના સેવનથી વિટામિન B1 ની ઉણપ દૂર કરી શકાય છે.
આખા અનાજ, માછલી અને માંસમાં હોય છે
વધુમાં આખા અનાજ, માછલી અને માંસમાં પણ વિટામિન B1 ની હાજરી જોવા મળતી હોય છે. સિવાય કઠોળ, દાળ અને દહીંમાં પણ આ વિટામિન જોવા મળે છે. જેનો આહારમાં ઉપયોગ કરવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime